કોઠારી સ્વામી સાથેની બેઠક પછી સાધુ સંતોએ કહ્યુ સાળંગપુર વિવાદ 2 દિવસમાં ઉકેલાશે

છેલ્લાં કેટલાંક દિવસથી દેશભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા સાળંગપુર વિવાદનો ઉકેલ આવે તેવા સારા સમાચાર સામે આવ્યા છે. હનુમાનજીના અપમાનથી ક્રોધિત થયેલા સાધુ સંતોએ સાળંગપુરના કોઠારી સ્વામી સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સાધુ સંતોએ કહ્યું હતુ કે કોઠારી સ્વામીએ 2 દિવસમાં આ વિવાદનો ઉકેલ લાવવાની ખાત્રી આપી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.

આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.

સાળંગપુરના કોઠારી સ્વામી સાથે રવિવારે સાધુ સંતોની બેઠક મળી હતી. સાધુ સંતોએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે, કોઠારી સ્વામીને સંતો દ્રારા કેટલાંક મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સાળંગપુરના ભીંતચિત્રનો મુદ્દો મુખ્ય હતો. ઉપરાંત તેમના સંતો આડું અવળું ન બોલે, કથાકારો, વક્તાઓ સંયમમાં રહે તેવા અનેક મુદ્દાઓ પર વાત થઇ હતી.બેઠકમાં કોઠારી સ્વામીએ ખાત્રી આપી છે કે બે દિવસમાં આ વિવાદનું સુખદ સમાધાન લાવીશું.

સાધુ સંતોએ કહ્યું કે અમે વિવાદિત મુદ્દાની ચર્ચા કરી છે અમે અહીં કોઠારી સ્વામી સાથે સંવાદ કરવા માટે આવ્યા હતા, વિવાદ કરવા નહોતા આવ્યા. અમે ખુબ જ શાંતિથી ચર્ચા કરી છે.

બરવાળાના મહામંડલેશ્વર જગદેવદાસે કહ્યું હતું કે, કોઠારી સ્વામી તરફથી અમને બાંહેંધરી આપવામાં આવી છે કે આ મુદ્દે જે કઇ પણ નિરાકરણ કરવાનું છે તે બે દિવસમાં આવી જશે. તેમણે કહ્યું હતું કે ભીંતચિત્ર એક ખાસ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે જે નષ્ટ થઇ શકે તેમ નથી.

આ મુદ્દે જુનાગઢના ઇન્દ્રભારતી બાપુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે આજે સનાતનનો વિજય થયો છે. આ મામલે હવે 2 દિવસની બાંહેધરી આપવામાં આવી છે. એ આપણા સનાતની જ છે. બાપુએ કહ્યુ કે, બે દિવસમાં ભીંતચિત્રો નિકળી જશે ત્યાં સુધી હવે કશું કરવાનું રહેતું નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.