ગોધરામાં બે કોમ વચ્ચે પથ્થરમારો,10ની ધરપકડ,રસ્તા પર પસાર થતા રોક્યા તો હોબાળો થય

ગુજરાતના ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે આ ઘટનાના સંબંધમાં મંગળવારે 10 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે મંગળવારે આ વિષે માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે સાંજે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે મંગળવારે આ ઘટનાના સંબંધમાં 10 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાદરખાન પઠાણની ફરિયાદ પર નોંધાયેલી FIR મુજબ, એક આરોપી મિત્રાંગ પરમાર અને અન્ય કેટલાક લોકોએ તેમને તેમના વિસ્તારમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરવા માટે રોક્યો હતો અને તે રસ્તા પરથી આવવા જવાની ના પાડી દીધી હતી.

પઠાણે એવો દાવો કર્યો હતો કે, તે જે રોડનો રોજિંદો ઉપયોગ કરતો હતો તે, રેલ્વે અંડરપાસના નિર્માણને કારણે બંધ હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, પઠાણે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, તે સોમવારે સાંજે તેની મોટરસાઇકલ પર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પરમારે તેને પસાર થતો અટકાવ્યો હતો. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. અધિકારીએ કહ્યું કે, આ પછી ઝઘડો વધી ગયો હતો અને બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ગોધરામાં પથ્થરમારાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, બંને પક્ષોની ફરિયાદના આધારે બે FIR નોંધવામાં આવી છે. જેમાં બંને કોમના પાંચ-પાંચ આરોપીના નામ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, FIRમાં પરમારે પઠાણ અને અન્ય ચાર લોકો પર ગેરકાનૂની રીતે ભેગા થવાનો આરોપ લગાવ્યો હતો, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને માર માર્યો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 335 (દુઃખ પહોંચાડવા), 504 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન), 143, 149 (ગેરકાયદેસર રીતે ભેગા થવું) અને 147 (હુલ્લડો) હેઠળ બંને સમુદાયોના દરેક પાંચ સભ્યો સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.