ગોધરામાં બે કોમ વચ્ચે પથ્થરમારો,10ની ધરપકડ,રસ્તા પર પસાર થતા રોક્યા તો હોબાળો થય

ગુજરાતના ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે આ ઘટનાના સંબંધમાં મંગળવારે 10 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરમાં રસ્તા પરથી પસાર થવાને લઈને બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે મંગળવારે આ વિષે માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે સાંજે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પોલીસે મંગળવારે આ ઘટનાના સંબંધમાં 10 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાદરખાન પઠાણની ફરિયાદ પર નોંધાયેલી FIR મુજબ, એક આરોપી મિત્રાંગ પરમાર અને અન્ય કેટલાક લોકોએ તેમને તેમના વિસ્તારમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરવા માટે રોક્યો હતો અને તે રસ્તા પરથી આવવા જવાની ના પાડી દીધી હતી.

પઠાણે એવો દાવો કર્યો હતો કે, તે જે રોડનો રોજિંદો ઉપયોગ કરતો હતો તે, રેલ્વે અંડરપાસના નિર્માણને કારણે બંધ હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, પઠાણે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, તે સોમવારે સાંજે તેની મોટરસાઇકલ પર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પરમારે તેને પસાર થતો અટકાવ્યો હતો. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. અધિકારીએ કહ્યું કે, આ પછી ઝઘડો વધી ગયો હતો અને બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ગોધરામાં પથ્થરમારાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, બંને પક્ષોની ફરિયાદના આધારે બે FIR નોંધવામાં આવી છે. જેમાં બંને કોમના પાંચ-પાંચ આરોપીના નામ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, FIRમાં પરમારે પઠાણ અને અન્ય ચાર લોકો પર ગેરકાનૂની રીતે ભેગા થવાનો આરોપ લગાવ્યો હતો, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને માર માર્યો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 335 (દુઃખ પહોંચાડવા), 504 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન), 143, 149 (ગેરકાયદેસર રીતે ભેગા થવું) અને 147 (હુલ્લડો) હેઠળ બંને સમુદાયોના દરેક પાંચ સભ્યો સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ની ઠેર-ઠેર ચર્ચા થઇ રહી છે. ફક્ત ₹2 કરોડના...
Entertainment 
‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

બોલિવુડ અભિનેતાએ CM ભુપેન્દ્ર પટેલને મળી ગુજરાતી ફિલ્મો માટે કરી દીધી આ માંગ

ફિલ્મ અભિનેતા દિપક તીજોરી મંગળવારે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. સચિવાલયમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવા...
Entertainment 
બોલિવુડ અભિનેતાએ CM ભુપેન્દ્ર પટેલને મળી ગુજરાતી ફિલ્મો માટે કરી દીધી આ માંગ

બોરવેલ બન્યો જીવલેણ, 8 દિવસમાં એક જ પરિવારમાં ત્રણ લોકોના જીવ ગયા

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં બોરવેલને લગતા અકસ્માતોએ એક પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. માત્ર આઠ દિવસના સમયગાળામાં, પવાઈ...
National 
બોરવેલ બન્યો જીવલેણ, 8 દિવસમાં એક જ પરિવારમાં ત્રણ લોકોના જીવ ગયા

પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના ગ્રુપ ફોટોમાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિના ફોટાને કાપી નાખ્યો, જેથી...
National 
પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.