SMC કહે સુરતમાં રખડતા કૂતરા 33761 છે, તો મનપાએ 30000 શ્વાનોની નસબંધી કઈ રીતે કરી

વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઇની મોતથી ગુજરાતમાં રખડતા કૂતરાઓનો મામલો ગરમાયો છે. તેની વચ્ચે સુરતમાં એક ગજબનો કૌભાંડ સામે આવ્યો છે. એક RTIમાં ખુલાસો થયો છે કે, સુરત મનપામાં માત્ર 2754 રખડતા કૂતરાઓ છે, પણ મનપાએ 33,761 કૂતરાઓની નસબંધી કરવાનો દાવો કર્યો છે.

સુરત મહાનગર પાલિકાનો વિવાદોથી નાતો જૂનો છે. મોટેભાગે મનપાના વિવાદો સામે આવતા રહેતા હોય છે. આ કડીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને ખસીકરણને લઇ આરટીઆઈ દ્વારા જે ખુલાસો સામે આવ્યો છે, તેને સાંભળી સૌ કોઇ હેરાન થઇ જશે.

https://khabarchhe.com/uploads/mc_path/169839737663.jpg

આધિકારિક રીતે શહેરમાં 2754 રખડતા શ્વાનો છે. પણ મનપાએ 33,761 કૂતરાઓને પકડીને તેમની નસબંધી કરી છે. નસબંધી માટે એક કૂતરાના બિલ પર 1403 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. એટલે કે શ્વાનોના નામે લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાને આ જાણકારી આરટીઆઈથી મળી છે.

33,761 શ્વાનોનું ખસીકરણ કરાયું

હવે સવાલ એ ઊભો થાય છે કે, સુરત શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા 2754 છે તો મનપાએ કઇ રીતે 33,761 શ્વાનોની નસબંધી કરી નાખી. RTI એક્ટિવિસ્ટ દ્વારા મનપા પાસેથી માગવામાં આવેલી આરટીઆઈમાં 2018 થી 2023 સુધી 2754 જ શ્વાનો નોંધવામાં આવ્યા છે. જ્યારે નસબંધી 33,761 શ્વાનોની કરવામાં આવી છે.

આ મામલાને લઇ જ્યારે મનપાના એડિશનલ માર્કેટ સુપ્રીટેંડેન્ટને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, સુરત શહેરમાં 80 થી 90 હજાર શ્વાનો હશે. ગયા વર્ષે અમે 33,761 શ્વાનોની નસબંધી માટે ટેન્ડર પાડ્યું હતું, જે પૂરુ થઇ ગયું છે. ગયા મહિનાથી નવું ટેન્ડર 33,761 શ્વાનોનું કરવામાં આવ્યું છે. જેની પ્રક્રિયા ચાલુ છે.

તે કઇ રીતે થયું, અમને નથી ખબર

રોજ અમારી ટીમ વોર્ડ પ્રમાણે નીકળે છે અને શ્વાનોને પકડી તેમની નસબંધી કરે છે. આધિકારિક રીતે 2754 કૂતરાઓના હોવા અને 33,761 શ્વાનોની નસબંધી કરવાના ખુલાસાને લઇ ડૉક્ટર રાજેશ ઘેલાનીએ કહ્યું કે, તેઓ સેંસર વિભાગમાં કામ કરે છે. આ કઇ રીતે થયું તેની જાણ નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.