CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વલસાડમાં થશે

ગુજરાતમાં દર વર્ષે 15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી કોઇ એક જિલ્લામાં કે તાલુકામાં થતી હોય છે. ત્યારે આ વર્ષે 77માં  સ્વાતંત્ર્ય પર્વની 15મી ઓગસ્ટ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરાશે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજ વંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 16 ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવાનું આયોજન કરવમાં આવ્યું છે. મુખ્યમંત્રી વલસાડ ખાતે ધ્વજવંદન કરાવશે, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે. જ્યારે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, કલેક્ટરો જુદા દુજા જિલ્લા મથશે ધ્વજવંદન કરાવશે. ગુજરાતના કેન્દ્રીય અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ અલગ અલગ જિલ્લાં મતદાન કરાવશે.

ગુજરાતના કેબિનેટ મંત્રીઓમાં કનુભાઇ દેસાઇ નવસારી, રૂષિકેશ પટેલ વડોદરા, રાઘવજી પટેલ રાજકોટ, બળવંતસિંહ રાજપૂત સુરત, કુંવરજી બાવળિયા અમદાવાદ, મુળુભાઇ બેરા કચ્છ, ડો. કુબેર ડિંડોર છોટાઉદેપુર, ભાનુબેન બાબરિયા જૂનાગઢ ખાતે ધ્વજવંદન કરાવશે.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી દાહોદ, જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા, પરષોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ, બચુભાઈ ખાબડ  મહીસાગર,મુકેશભાઇ પટેલ ગાંધીનગર, પ્રફુલ્લ પાનસેરિયા ભાવનગર, ભીખુસિંહ પરમાર પંચમહાલ, કુંવરજી હળપતિ નર્મદા જિલ્લામાં ધ્વજવંદન કરાવશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.