ગાંધીનગરમાં AAPના કોર્પોરેટરોએ અનોખો વિરોધ, રસ્તામાં પડેલા પાઈપો મહાત્મા મંદિર..

ગાંધીનગર મહાપાલિકાના અસ્તિત્વ બાદ નાગરિકોને મુશ્કેલીનો જ સામનો કરવો પડી રહ્યો છે. સત્તાધિશો અને અધિકારીઓ જાડી ચામડીના બની ગયા છે. જાણે નાગરિકોની રજૂઆતો તેમના બહેરા કાન સુધી પહોંચતી જ નથી. બહુમતિ સાથે સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સત્તાધિશો પણ સત્તાના નશામાં ચૂર થઇ ગયા છે. શહેરમાં કામ કર્યા પછી વધેલા પાઇપ મુકી રાખવામાં આવ્યા હતા, જેને લઇને નાગરિકોને મુશ્કેલી પડી રહી હતી. આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર પાઇપોને મહાત્મા મંદિર પાસે મુકી આવ્યા હતા.

ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, પણ કોન્ટ્રાક્ટરોની અણઆવડત અને મહાનગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી, નરમાશના કારણે શહેરમાં કામગીરી પૂર્ણ થતી નથી. નાગરિકો બિસ્માર રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એ છતા સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલરો દ્વારા નવા વર્ષે લોકોના સપોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં કામ પૂર્ણ થયા બાદ વધારાના પાઈપો ઘણી જગ્યાએ જોવા મળતા હતા.

પરિણામે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા અગાઉ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે શહેરમાં પાઈપોનું કામ પૂર્ણ થયું છે છતા આડેધડ જ્યાં ત્યાં પડેલા છે અને નડતરરૂપ હોય તેવા પાઈપોને નવરાત્રી અગાઉ હટાવવામાં આવે, નહિતર પાઈપોને મહાત્મા મંદિર પાસે મુકી આવવામાં આવશે. હવે તેમના (આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોના) અલ્ટીમેટમની સત્તાધીશો પર કોઈ અસર ન થઈ તો આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો શહેરમાં બિનઉપયોગી અને નડતરરૂપ પાઈપોને મહાત્મા મંદિર પાસે મૂકી આવ્યા. શહેરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ સાંભળતા નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.