નર્મદાઃ મોટો ભાઈ રોજ નાના ભાઈના ખેતરમાંથી ટામેટા તોડતો, છરીના ઘા મારી પતાવી દીધો

તાજેતરનો સમય એવો છે કે ભાઈ ભાઈનો નથી રહ્યો, સગાઓ તો ઠીક પણ લોહીનો સબંધ પણ તેમની આડે આવતો નથી, આજના લોકોમાં સ્નેહની સરવાણી સુકાઈ ગઈ હોય એમ લાગે છે. પોતાના સ્વાર્થ ખાતર તેઓ કોઈ પણ સબંધ જોતા નથી અને ગુસ્સામાં આવીને ન કરવાનું કરી બેસે છે.

ગુજરાતના નર્મદા જિલ્લામાં નાના ભાઈએ મોટા ભાઈની ઘાતકી હત્યા કરી નાખી. ખેતરમાંથી ટામેટાં તોડવા બાબતે વિવાદ થયો હતો. આ પછી નાના ભાઈએ મોટા ભાઈ પર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપી ભાઈની ધરપકડ કરવામાં આવી છે.

ઘટના ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની છે. અહીંની અંદર ધવલીવાર (વાડી ફળિયા) ગામમાં માસીરામ કાયલા વસાવા અને તેમના મોટા ભાઈ કાશીરામનું ઘર છે. હાલમાં ખેડૂત માસીરામના ખેતરમાં ટામેટાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

મોટા ભાઈ કાશીરામ નાના ભાઈના ખેતરમાંથી રોજ અમુક ટામેટાં તોડીને લઇ જતો હતો. માસીરામને આ વાત ગમી નહિ. રવિવારે બપોરે પણ મોટા ભાઈ નાના ભાઈ માસીરામના ખેતરમાં ટામેટાં તોડવા પહોંચ્યા હતા.

પરંતુ, નાના ભાઈએ મોટા ભાઈ કાશીરામને ટામેટાં તોડવાની મનાઈ કરી. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. થોડી જ વારમાં બંને વચ્ચે ઝપાઝપી પણ શરૂ થઈ ગઈ. આ દરમિયાન નાના ભાઈ માસીરામે મોટા ભાઈ કાશીરામને છરીના ઘા ઝીંકી દીધા હતા.

માસીરામે કાશીરામના પેટમાં ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. આનાથી કાશીરામના પેટમાંથી લોહીનો ફુવારો નીકળ્યો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. હત્યાના આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. માહિતી મળતાં પોલીસ પણ ગામમાં પહોંચી હતી અને આરોપી ભાઈ માસીરામની ધરપકડ કરી હતી.

સાગબારા પોલીસ ઈન્સ્પેક્ટર PV પાટીલનું કહેવું છે કે, મોટા ભાઈ કાશીરામ નાના ભાઈ માસીરામના ખેતરમાંથી ટામેટાં તોડતા હતા. નાના ભાઈને આ વાત ગમી નહિ. બંને ભાઈઓ વચ્ચે ટામેટાં તોડવા બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન માસીરામે કાશીરામની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. અમે તેની ધરપકડ કરી છે. તેની સામે IPCની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.