આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મંદિરની અંદર એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગભગ ...
National 
ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

જો તમે ઓલા, ઉબર અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા કેબ બુક કરો છો અને બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં...
Tech and Auto 
જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

તામિલનાડુના CM વિજય થલાપતિની સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જે હેઠળ રાજ્યના તમામ સત્તાવાર કાર્યક્રમોમાં હવે રાજ્ય...
National 
તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે

મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત એક ગુરુદ્વારાની અંદર શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ...
National 
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.