આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?

દેશભરમાં વાહનોની સંખ્યા ઝડપથી વધવા સાથે જ રસ્તા પર વાહનોની ભીડ વધી રહી છે અને સાથે-સાથે ટ્રાફિક નિયમો તોડવાની ઘટનાઓ...
Lifestyle 
દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?

Zoho ફાઉન્ડરે સમજાવ્યું કેમ PM મોદી ભારતીયોને વિદેશ પ્રવાસ અને સોનું ન ખરીદવા અપીલ કરી રહ્યા છે?

એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકાના મજબૂત દરે નોંધાયો છે. તેમ છતાં, જાણીતી આઈટી કંપની  Zoho...
Business 
Zoho ફાઉન્ડરે સમજાવ્યું કેમ PM મોદી ભારતીયોને વિદેશ પ્રવાસ અને સોનું ન ખરીદવા અપીલ કરી રહ્યા છે?

જબરદસ્ત ઈલેક્ટ્રિક કાર આવી, તડકામાં ઉભી રાખશો તો આપોઆપ ચાર્જ થઈ જશે, કાર ઉપર જ સોલાર સનરુફ

ચીની પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની, ફાવ હોંગકીએ કાર ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપનીએ પેરોવસ્કાઇટ ટેકનોલોજી દ્વારા સંચાલિત...
Tech and Auto 
જબરદસ્ત ઈલેક્ટ્રિક કાર આવી, તડકામાં ઉભી રાખશો તો આપોઆપ ચાર્જ થઈ જશે, કાર ઉપર જ સોલાર સનરુફ

વાર્ષિક આવક રૂ. 237 કરોડ, ખર્ચ 91 કરોડ... જાણો રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં કેટલા રૂપિયા છે

બુધવારનો દિવસ રામ મંદિર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે મહત્ત્વપૂર્ણ હતો. ટ્રસ્ટમાં 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં...
National 
વાર્ષિક આવક રૂ. 237 કરોડ, ખર્ચ 91 કરોડ... જાણો રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં કેટલા રૂપિયા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.