આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.