આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક...
Business 
શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

કોંગ્રેસ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે થનારી વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી છે, અને આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા...
National 
'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા...
National 
જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Gujarat 
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.