આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ, પિતૃદોષ નિવારવા અને બીમારી દૂર કરવાના બહાને ઘરેણાં પડાવી લેતી ગેંગ ઝડપાઇ

આજે પણ લોકો અંધશ્રદ્ધાના ખેલમાં ફસાઈ જતા હોય છે. આ ખેલમાં લોકો પોતિકાઓની બલિ આપતા પણ ખચકાતા નથી. આ સિવાય...
સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ, પિતૃદોષ નિવારવા અને બીમારી દૂર કરવાના બહાને ઘરેણાં પડાવી લેતી ગેંગ ઝડપાઇ

OnePlusનો 8000mAh બેટરી, 50MP AI કેમેરાવાળો N6 ફોન લોન્ચ, 5 વર્ષની લેગ-ફ્રી લાઇફ, જાણી લો કિંમત

OnePlusએ ભારતીય બજારમાં તેની નવી N સિરીઝનો પહેલો સ્માર્ટફોન, OnePlus N6 લોન્ચ કર્યો છે. OnePlus N6ની સૌથી...
Tech and Auto 
OnePlusનો 8000mAh બેટરી, 50MP AI કેમેરાવાળો N6 ફોન લોન્ચ, 5 વર્ષની લેગ-ફ્રી લાઇફ, જાણી લો કિંમત

35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા..., વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા

તામિલનાડુના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે, અભિનેતામાંથી રાજકારણી બનેલા CM વિજયની આગેવાની હેઠળના TVK ધારાસભ્યએ દાવો...
National 
35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા...,  વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા

વૈભવ સૂર્યવંશીને કોઈપણ ભોગે ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં રમાડવો જ જોઈએ: સુનિલ ગાવસ્કર

આયર્લેન્ડ સામે ભારતીય ટીમના પ્રદર્શનથી ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર બિલકુલ ખુશ નથી. આ બે મેચોની શ્રેણીમાં યજમાન આયર્લેન્ડે ભારતને ...
Sports 
વૈભવ સૂર્યવંશીને કોઈપણ ભોગે ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં રમાડવો જ જોઈએ: સુનિલ ગાવસ્કર
Copyright (c) Khabarchhe All Rights Reserved.