આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.