ચાઇનીઝ દોરીથી થતા મોત પર ગુજરાત હાઇ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી

ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બે-રોકટોક જીવલેણ દોરી વેચાઇ રહી છે. તો બીજી બાજુ, છેલ્લા કેટલાક દિવસોથી આ દોરીથી કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઇનીઝ બલુન પર પ્રતિબંધની સરકાર કઇ રીતે પગલાં લઇ રહી છે તે વિશે ગુજરાત હોઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને બે દિવસની અંદર સોગંદનામા પર જવાબ માંગ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ ચાઇનીઝ દોરી મુદ્દે કડક વલણ અપનાવી રહ્યું છે. ચાઇનીઝ દોરી, નાયલોન દોરી તથા બલુનના વેચાણ મુદ્દે કાર્યવાહીનો હાઇકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સકંજામાં લીધી છે. હાઇકોર્ટે કહ્યું કે, દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઇજા થાય છે તે ચલાવી ન લેવાય. ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી તથા ચાઇનીઝ બલુનના કારણે લોકોને થતી ઇજાઓ અને મૃત્યુ તેમજ તેનાથી થતી દુર્ઘટનાને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરતી પીટીશનમાં કોર્ટે હુકમ કર્યો છે.

હાઇકોર્ટે સરકારને કહ્યું કે, ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવાથી કોઇ પ્રકારની અસર જોવા નથી મળી રહી, હાઇકોર્ટના અવલોકન પ્રમાણે તેના પર કડક અમલ મૂકાવો જરૂરી છે. આ ઘાતક દોરીથી નાગરિકોનું મોત થાય તે ચલાવી ન લેવાશે. ત્યારે આ મુદ્દે હાઇકોર્ટે 2 દિવસમાં સરકારને જવાબ આપવા માટે આદેશ કર્યો છે. આ મુદ્દે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આખા ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર બેન હોવા છતાં કોઇપણ પ્રકારની રોકટોક વગર ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં આખા ગુજરાતમાંથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં એક વ્યક્તિનું ગળુ કપાયું હતું અને થોડા સમય બાદ મોત નીપજ્યું હતું. તેની સાથે જ અન્ય ઘણા બધા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં ગુજરાત પોલીસની સામે જ આ જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. પોલીસે તેના વેચાણ પર પ્રતિબંધના અમલની તકેદારી રાખવી જોઇએ.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.