ભાજપ નેતાની 22 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, 19 લાખની સોપારી અપાઇ હતી

ભાજપના એક અગ્રણી નેતાની 22 દિવસ પહેલા હત્યા થઇ હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. 10 વર્ષ જૂના ઝઘડાનું વેર લેવા માટે 19 લાખની સોપારી આપીને ભાજપ નેતાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે બે સગા ભાઇઓ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.

શેલેષ પટેલ, ભાજપ નેતા

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની 8મેના દિવસે હત્યા કરવામાં આવી હતી. શૈલેષ પટેલ તેમના પત્ની સાથે શિવમંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે પત્ની મંદિરમાં ગયા હતા અને શૈલેષ પટેલ કારમાં બેઠા હતા ત્યારે તેમની પર 4 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ભાજપ નેતાને હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. શૈલેષભાઇના પત્નીએ ડુંગરી પોલીસમાં 6 શકમંદો અને 2 અન્ય અજાણી વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 22 દિવસ પછી આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

વલસાડ  SP ડો. રાજદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે. પોલીસ માટે આ કેસ ઉકેલવો એક મોટો પડકાર હતો. જ્યા સુધી પુરાવા ન મળે ત્યાં સુધી આરોપીઓ સુધી પહોંચવું મુશ્કેલ હતુ. પોલીસની ટીમે 1600 કિ.મી વિસ્તારમાં CCTV ફુટેજ તપાસ્યા હતા અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આ હત્યા કેસમાં શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઇશ્વરભાઇ પટેલ, મિતેશ ઇશ્વરભાઇ પટેલ, અજય ગામિત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી છે.

પોલીસે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે 10 વર્ષ જુની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી, વર્ષ 2013માં ભાજપ નેતા શૈલેષ પટેલનો વિપુલ અને મિતેષના પિતા ઇશ્વરભાઇ સાથે ઝઘડો થયો હતો અને તેમાં ઇશ્વરભાઇને માથાના ભાગે ઇજા પહોંચવાને કારણે લકવો મારી ગયો હતો. વિપુલ અને મિતેષને પણ ઇજા થઇ હતી. એ પછી 5 વર્ષ પહેલાં બંને પક્ષે સમાધાન થયું હતું કે કોઇએ એકબીજા પર હુમલો કરવો નહીં.

શેલેષ પટેલ, ભાજપ નેતા

પોલીસે કહ્યું કે, તપાસમાં એ વાત સામે આવી છે કે વિપુલ, મિતુલ અને શરદે જૂનો બદલો લેવા માટે દમણના અજય ઉર્ફે સ્પાઇડરને 19 લાખ રૂપિયાની સોપારી આપી હતી. અજયે આ કામ આઝમગઢના સત્યેન્દ્ર ઉર્ફે સોનુંને સોંપ્યું હતું. હત્યાના દિવસે 3 આરોપીઓ એક જ બાઇક પર આવ્યા હતા, જેમાં બે આરોપીઓએ રેકી કરી હતી અને એક આરોપી મંદિર પાસે ઉભો હતો.

શૈલેષ પટેલ સામાન્ય રીતે પોતાના બોડીગાર્ડોને સાથે લીધા વગર સામાન્ય રીતે બહાર નિકળતા નહોતા, પરંતુ  જે દિવસે હત્યા થઇ ત્યારે તેમની સાથે તેમના સુરક્ષા કર્મીઓ નહોતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.