સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો આવો તે કેવો રોડ બનાવ્યો કે જોતા વિશ્વાસ ના થાય

ભારે વરસાદના કારણે વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો રસ્તો તૂટી ગયો છે. જેના કારણે એક તરફના રસ્તાના વહાનવ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુશળધાર વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે રસ્તો તૂટી ગયો છે. રોડ એવા પ્રકારે તૂટ્યો છે કે તેને બનાવમાં ઘણા મહિના લાગી શકે છે. વરસાદ બંધ થવા પર જ રસ્તાને બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. સ્થાનિક ધારાસભ્યએ અહી જલદી કામ શરૂ કરાવવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડભોઇ-વડોદરા રોડ ઉપર દેવ અને ઢાઢર નદીના પાણીએ નવો બનેલો ડામરનો રોડ ધોઇ નાખ્યો છે. થોડા મહિના અગાઉ જ નવો રોડ બનાવવામાં આવ્યા હતો, જે દેવ નદીના વહેણમાં ધોવાઇ ગયો છે. સોમવાર રાતથી જ ડભોઇ-વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક ઢાઢર નદીનું પાણી વહેતું થયું હતું. તેના પરિણામે મંગળવારે ડભોઇ અને વડોદરા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. પાણીના વહેણ સાથે જ રોડ ધોવાઇ ગયો છે. વડોદરા-ડભોઇ થઇને સ્ટેચ્યુ ઓફ યૂનિટી જતો માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે નવો રોડ જ ધોવાઇ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિક રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

વડાપ્રધાન બનવા અગાઉ નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતનાં મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં તેનું શિલાન્યાસ કર્યું હતું અને વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કર્યું હતું. લગભગ 2989 કરોડ રૂપિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનીને તૈયાર થઈ. આ પ્રતિમા બાદ સ્થાનિક લોકોને રોજગારના અવસર મળ્યા, સાથે જ ગુજરાત અને દેશના પર્યટકોને એક નવું પર્યટન સ્થળ પણ મળ્યું.

ક્યારે કેટલા પર્યટક આવ્યા?

વર્ષ 2018માં 4.53 લાખ

વર્ષ 2019માં 27.45 લાખ

વર્ષ 2020માં 12.81 લાખ (કોરોનાકાળ )

વર્ષ 2021માં 34.29 લાખ

વર્ષ 2022માં 41.32 લાખ

વર્ષ 2023માં 31.92 લાખ.

ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ એક બાદ એક 26 નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા અને કેવડિયા હવે એકતા નગર પણ બની ગયું છે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.