આ સંસ્કાર મને BJPમાંથી મળ્યા છે કે, સ્મશાન અને મુતરડી માણસ માટે જરૂરી છે

ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા, પૂર્વ નાયબ મંત્રી અને છેલ્લાં ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયેલા નીતિન પટેલે મહેસાણાના એક કાર્યક્રમમાં આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. આમ પણ નીતિન પટેલ બેધડક બોલવા માટે જાણીતા છે.

મહેસાણા નગરપાલીકા દ્વારા નવનિર્મિત નાગલપુર વિસ્તારમાં વૈકુંઠ ધામ સ્મશાન ગૃહ, સ્વામી વિવેકાનંદ ચોકમાં સીટીઝન પાર્ક, રાજમાતા વિજ્યારાજે સિંધીયા ગાર્ડન નુ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર ઉપસ્થિત હ્યા હતા

 મહેસાણા RTO કચેરી પાસે નવા સ્માશાનનું લોકાર્પણ નીતિન પટેલના હસ્તે રાખવામાં આવ્યું હતું.. ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે પોતાના વકત્વ્યમાં કહ્યુ હતું કે, સ્મશાનના ઉદઘાટની વાત આવે એટલો લોકો કહેવા માંડે છે  કે હવે તમે સ્મશાનની રિબીન પણ કાપવા માંડ્યા? તો મારે એવા લોકોને કહેવું છે કે મેં તો મુતરડીનું પણ ઉદઘાટન કર્યું છે. સ્મશાન અને મુતરડી માણસ માટે ખુબ જ જરૂરી છે અને આ જ્ઞાન અને સંસ્કાર મને ભાજપ તરફથી મળ્યા છે.

નીતિન પટેલે આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શૌચાલય અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે જ્યારે PM મોદીએ સ્વચ્છતા લાવવા માટે શૌચાલય અભિયાનની શરૂઆત કરી ત્યારે તેમની પણ ખુબ ટીકા થઇ હતી. પરંતુ હવે આંકડા સામે આવે છે તેના પરથી ખબર પડે છે કે મહિલાઓ અને બહેનોની તકલીફો દુર થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની પાયાની જરૂરિયાત તરફ ધ્યાન આપ્યું છે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગળ કહ્યુ કે ઘણી જગ્યાએ વિકાસ યાત્રા નબળી પડતી હોય છે, પરંતુ મહેસાણા એવું શહેર છે જ્યાં વિકાસની યાત્રા અટકતી નથી, બલ્કે અવિરત ચાલું રહે છે. પટેલે કહ્યુ કે આ બાબતે હું મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલને અભિનંદન આપું છું. નગર પાલિકાના પ્રમુખ વર્ષાબેને પણ અઢી વર્ષમાં મહેસાણા માટે ઘણું સારું કામ કર્યું છે.

નીતિન પટેલે કહ્યુ કે વર્ષાબેન ક્યારેય અવિવેકી બોલ્યા નથી. તેમના અઢી વર્ષના સમયગાળામાં 225 કરોડના કામો થયા છે જે નાનીસૂની વાત નથી. નગર પાલિકાના ચેરમેન કૌશિકભાઇના પણ નીતિન પટેલે વખાણ કર્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.