અમરેલીમાં સિંહો પાછળ ગાડી દોડાવી પરેશાન કરતો વીડિયો વાયરલ થતા 3ની ધરપકડ

અમરેલીમાં સિંહોને પરેશાન કરવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં બોનટ પર બેઠો યુવક કાર આગળ ચાલી રહેલા 3 સિંહોને પરેશાન કરી રહ્યો હતો. વીડિયોની તપાસ કરવામાં આવી અને ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી. એમ પણ કહેવામાં આવ્યું કે, 2 કારોમાં 6 લોકો સવાર હતા. હાલમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી. વીડિયો લગભગ 15 દિવસ જૂનો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સિંહો પાછળ ચાલતી કારોના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.

બધા વીડિયો ગીરના હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે 3 સિંહ એક ગલીમાં ઉપસ્થિત છે. તેમની પાછળ કાર ચાલી રહી છે. કારણ બોનટ પર બેઠા યુવકની ચપ્પલ નજરે પડી રહી છે. આગળ આગળ સિંહ ચાલી રહ્યા હતા અને પાછળ પાછળ કાર ચાલી રહી હતી. કહેવામાં આવ્યું કે, 2 કારમાં સવાર લગભગ 6 છોકરાઓએ સિંહોને પરેશાન કર્યા અને તેમના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. વાયરલ વીડિયો પોલીસને મળ્યા. યુવકોની ઓળખ કર્યા બાદ 3 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

વન વિભાગના જણાવ્યા મુજબ, ધરપકડ થયેલા ત્રણેય યુવક રાજસ્થાનના છે. બધા અહી ગીરના જંગલમાં ફરવા આવ્યા હતા. તો ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આરાધના સાહૂનું કહેવું છે કે, સિંહોને પરેશાન કરવાનો વીડિયો સામે આવ્યો, તો 6 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્રણની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર બે કેસ પહેલા નોંધવામાં આવ્યા છે. તેમાં પહેલો રાતના સમયે ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરવા અને બીજો સિંહોને પરેશાન કરવાઅને લઇને છે.

ગયા વર્ષ માર્ચ મહિનામાં ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાંઆ કુલ 283ના મોત થયા. તેમાંથી 254 સિંહોના સ્વાભાવિક કારણોથી મોત થયા. તેમાં 68 સિંહ, 73 સિંહણ અને 142 બચ્ચા સામેલ હતા. સરકાર તરફથી વિધાનસભામાં એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે ગીરના જંગલમાં સિંહ સાથે જ મોટી સંખ્યામાં ચિત્તા પણ છે. છેલ્લા 2 વર્ષમાં 242 ચિત્તાઓના મોત થયા છે. સરકાર તરફથી વિધાનસભામાં આપવામાં આવેલી જાણકારી મુજબ 242 ચિત્તાઓ સિવાય તેમના 91 બચ્ચા પણ મોત થયા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.