ગુજરાતની શાળા-કોલેજોમાં માર્ચ પછી થશે આટલા હજાર શિક્ષકોની નવી ભરતીઓ

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકોમાધ્યમિક અને ઉચ્ચાતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ્ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાશઓ સત્વચરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વંનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત બજેટ સત્ર પછી તૂર્ત જ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે જગ્યાઓની ભરતી થનાર છે તેમાં 3200 જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકોમાધ્યમિક તથા ઉચ્ચઉતર માધ્યમિક શિક્ષણના 8000 શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી  વિવિધ સંવર્ગની કુલ 2000 ખાલી જગ્યાઓની ભરતીનો સમાવેશ થાય છે. માર્ચ મહિના પછી કુલ 13200 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

આ અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષણમાં વધુ જગ્યાઓ ખાલી પડી છે તેથી સૌ પ્રથમ 3000થી વધુ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. અત્યારે સરકારી સ્કૂલોમાં નિવૃત્તિની મોસમ આવી છે. પ્રતિ વર્ષ 2500થી વધુ શિક્ષકો નિવૃત્ત થઇ રહ્યાં છે તેથી શિક્ષકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સ્કૂલો અને મહેકમ જોતાં રાજ્યમાં અત્યારે 20,000 થી વધુ વિદ્યા સહાયકોની જરૂર છે જે પૈકી માત્ર 3200ની ભરતી કરવામાં આવનાર છે.

ગુજરાતમાં છેલ્લે 2016માં 6316 ખાલી જગ્યાઓએ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી હતી, ત્યારબાદ ભરતી પ્રક્રિયા થઇ નહીં હોવાથી વધુ 8000 શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે. આર્થિક નબળા પછાત વર્ગના ઉમેદવારોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યા પછી રાજ્ય સરકારે ભરતીના નિયમોમાં સુધારો કરીને ટાઇમટેબલ ગોઠવ્યું છે. આ ભરતી પણ માર્ચ મહિના પછી થાય તેવી સંભાવના છે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ વધી રહી છે. 20 ટકા શિક્ષકો દર વર્ષે નિવૃત્ત થતાં હોઇ આ સંખ્યા વધે છે તેથી 2000 જેટલા સહાયક અધ્યાપકોની ભરતી માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સહાયકોની ભરતી સ્કૂલ નિયામક તેમજ અધ્યાપક સહાયકોની ભરતી ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા કરવામાં આવનાર છે. ગુજરાતના શિક્ષણમાં ખરાબ દશા પ્રાથમિક શિક્ષણની છે. સ્કૂલોમાં બાળકોની સંખ્યાની સરખામણીએ શિક્ષકોની ઘટ વર્તાઇ રહી છે જ્યારે માધ્યમિક કક્ષાએ આચાર્યો અને પ્રાધ્યાપકોની ઘટ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે.

 
 
 

About The Author

Top News

AIADMKમાં ભંગાણ, બળવાખોર 30 ધારાસભ્યોએ વિજયને સમર્થન આપ્યું

તમિલનાડુના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવી રહ્યા છે. AIADMK પાર્ટીમાં સ્પષ્ટપણે બે ભાગલા પડી ગયા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા...
Politics 
AIADMKમાં ભંગાણ, બળવાખોર 30 ધારાસભ્યોએ વિજયને સમર્થન આપ્યું

PM મોદીની અપીલ કેમ માનવી જોઇએ, જાપાન, જર્મનીના દાખલાથી સમજો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલની બચત કરવા, સોનું નહીં ખરીદવા સહિતના 7 ઉપાયો કરીને હાલના તેલ-ગેસના સંકટ વચ્ચે વિદેશી હુંડિયામણ બચાવવા...
National 
PM મોદીની અપીલ કેમ માનવી જોઇએ, જાપાન, જર્મનીના દાખલાથી સમજો 

દેશના 50 અધિકારીઓએ એક જ દિવસે ખરીદી જમીન, બાયપાસ પ્રોજેક્ટ આવતા 5 કરોડની જમીન 60 કરોડની થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અમલદારો દ્વારા સત્તાનો કથિત દુરુપયોગ કરી મિલકત બનાવવાના એક મોટા કિસ્સાએ ચકચાર મચાવી છે. વર્ષ 2022 માં...
National 
દેશના 50 અધિકારીઓએ એક જ દિવસે ખરીદી જમીન, બાયપાસ પ્રોજેક્ટ આવતા 5 કરોડની જમીન 60 કરોડની થઈ ગઈ

NEET પેપર લીકઃ 'ગેસ પેપર'ના 720માંથી 600 માર્ક્સના પ્રશ્નો બેઠા પૂછાયા!

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા 'નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ' (NEET-UG 2026) ને લઈને એક ચોંકાવનારો ખુલાસો...
Education 
NEET પેપર લીકઃ 'ગેસ પેપર'ના 720માંથી 600 માર્ક્સના પ્રશ્નો બેઠા પૂછાયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.