અમદાવાદઃ કાકાના દીકરા પાસે 2 લાખ વ્યાજે લીધા હતા, ચૂકવી દીધા પછી 11 લાખની માંગણી

ગુજરાતમાં વ્યાજખોરીના વિષચક્રના અજગરભરડામાં અનેક લોકો ફસાઇ ચૂક્યા છે ત્યારે પોલીસે વ્યાજખોરી દુરવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ લાગે છે કે હજુ પણ વ્યાજખોરોનું ચક્કર પુરી રીતે ખતમ નથી થયું. અમદાવાદામં એક પૌઢે કાકાના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે લીધા હતા, તેમનો દાવો છે કે તેમણે પુરેપુરી રકમ ચૂકવી દીધા પછી પણ તેમની પાસે 11 લાખ 54 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી છે. પૌઢે પોલીસને ફરિયાદ કરી છે.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતા જયંતિભાઇ નાડિયાએ 15 ઓકટોબર 2007માં તેમના કાકાના દીકરા તુલસીભાઇ ચાવડા પાસેથી 1.50 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે ઉછીના લીધા હતા. તે વખતે તેમને પૈસાની જરૂરિયાત હતી. જંયતિભાઇએ જ્યારે 1.50 લાખ ઉછીના લીધા ત્યારે તુલસીભાઇને સિક્યોરીટી પેટે  એક કોરો ચેક અને પોતાની જમીન ગીરવે મુકી હતી.

એ પછી વર્ષ 2009માં જયંતિભાઇને ફરી રૂપિયાની જરૂર પડી તો તેમણે તુલસીભાઇ પાસે બીજા 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. એમ જયંતિભાઇએ કુલ 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

10 વર્ષ પછી એટલે કે 2017માં જયંતિભાઇ પાસે રૂપિયાની સગવડ થઇ જતા તેમણે તુલસીભાઇને 2 લાખ રૂપિયા આપી દીધા હતા. પૈસા આપી દીધા પછી જયંતિભાઇએ તુલસીભાઇ પાસે કોરા ચેક અને જમીનના દસ્તાવેજો માંગ્યા હતા.

તુલસીભાઇએ જયંતિભાઇને કોરા ચેક અને જમીનના દસ્તાવેજો તો આપ્યા નહીં, પરંતુ તેમની પાસે વ્યાજ પેટે 11 લાખ 54 હજાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જયંતિભાઇના બનેવી અંબાલાલ પણ  વ્યાજના 11 લાખ 54 હજાર ચુકવી દેવા માટે પ્રેસર કરતા  હતા.એવામાં એક દિવસ એવું બન્યું કે જયંતિભાઇને 2021માં કોર્ટની ચેક રિટર્નની નોટિસ મળી હતી. તુલસીભાઇએ એ કોરો ચેક બેંકમાં ભરી દીધો હતો, પરંતુ રિટર્ન થયો હતો.

આખરે જયંતિભાઇએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તુલસીભાઇ અને અંબાલાલ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

વ્યાજખોરીનું વિષચક્ર ખતરનાક છે. નાના નાના લોકો જેમને ઘણી વખત રૂપિયાની જરૂર પડે અથવા નાના પાયે બિઝનેસ કરવા માટે બેંકોમાંથી સરળતાથી લોન મળતી નહીં હોવાને કારણે આવા વ્યાજે પૈસા આપતા લોકો પાસેથી ઉછીના રૂપિયા લે છે. એમનું વ્યાજ વર્ષે 24 ટકાથી 60 ટકા સુધીનું હોય છે. નાનો માણસ વ્યાજ ભરતા ભરતા જ તુટી જાય છે. ઘણા લોકો વ્યાજના ચક્કરમાં ખુંવાર થઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.