જૂનાગઢમાં કમોસમી વરસાદે તબાહી મચાવી મજૂરો ભરેલી રિક્ષા નદીમાં તણાઈ, 3ના મોત

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આવેલા ચુડવા ગામમાં કમોસમી વરસાદે તબાહી મચાવી મુકી છે. ભારે વરસાદને કારણે નદીના પાણીનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે તેમાં 12 શ્રમિકોને લઇ જતી એક રીક્ષા પાણીમાં ફસાઇ ગઇ હતી અને તેમાંથી 9 લોકોને તો બચાવી લેવાયા હતા, પરંતુ 3 મહિલાઓ લાપત્તા થઇ ગઇ હતી. મોડી રાત્રે ત્રણેય મહિલાઓના મૃતદેહો મળી આવ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ બે મહિલાઓ મા-દીકરી હતી જ્યારે એક અન્ય મહિલા હતી.

આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. માણાવદરના ચુડવા ગામમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું હતું. એ વખતે મંગળવારે સાંજે છત્રાસા અને ચુડવા ગામ વચ્ચે ખેતરોમાં કામ કરવા આવેલા લથ ગામના 12 મજૂરોથી ભરેલી રિક્ષા નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન રિક્ષામાં સવાર 12માંથી 9 કામદારોને મહા મહેનતે બચાવી લેવાયા હતા જ્યારે 3ની શોધખોળ ચાલી રહી હતી.

ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ટીમ મોડી રાત સુધી શોધખોળમાં લાગેલી રહી હતી.. મોડી રાત્રે એક મહિલાની લાશ મળી આવ્યા બાદ બુધવારે બાકીની બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ ઉપલેટાના લાથા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમના મોત થયા છે કેમાં 60 વર્ષના શાંતાબેન રાઠોડ, 18 વર્ષની સંજના સોંલકી અને 40 વર્ષના ભારતીબેન સોંલકીનો સમાવેશ થાય છે.

આ વખતના માવઠાંએ ખેડુતોના પાકને તો મોટું નુકશાન કર્યું જ છે, પરંતુ સાથે સાથે જનજીવન પણ અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. હજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 7 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. બુધવારે સાંજે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ આવી શકે છે.

અમરેલીના ખાંભામાં સવા-ઇંચ, વિસાવદર, મહેસાણા, ઉપલેટામાં 1-1 ઇંચ જ્યારે ભૂજ, વિસનગર, મોડાસા, ખેડબ્રહ્મામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત વિજાપુર, સાયલા, અંજાર,લખતર, સરસ્વતી અને પાલનપુરમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.