વડોદરામાં પિતાએ પુત્રને ગળેફાંસો આપી પોતે જીવન ટૂંકાવી લખ્યું- પત્નીનો ત્રાસ...

છેલ્લા ઘણા સમયથી આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ચોંકાવનારો આપઘાતનો બનાવ વડોદરાના બાપોદ ગામમાં સામે આવ્યો છે. જેમાં બાપોદ ગામમાં રહીને રિક્ષા ચલાવી પોતાનું જીવન ગુજરાન ચલાવતા યુવકે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. આ યુવકે આપઘાત કર્યા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેણે 'પોતાની પત્નીથી ત્રાસીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે.' જે અંગે હાલ તો બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે વુડાના મકાનમાં રહેતા 32 વર્ષના પરેશ કનુભાઇ સીંકલીગરે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પરેશભાઇ રીક્ષા ચાલક હતા અને તેઓ પોતાના 11 વર્ષના પુત્ર તેમજ પત્ની આશાબેન સાથે રહેતા હતા. શનિવારના રોજ બપોરના સમયે પોતાના ઘરમાં જ તેમણે પહેલા પુત્રને ગળા ફાંસો આપીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ ઘરના બીજા રૂમમાં જઇને તેણે પોતે પણ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક પરેશભાઈની પત્ની આશાબેન બંગલાઓમાં કામ કરવા જતી હોય છે જ્યાંથી તે બપોરના સમયે કામ કરીને જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેણે ઘરનો દરવાજો નહીં ખૂલતાં બૂમો પાડી હતી. તો પણ અંદરથી કોઇએ દરવાજો ન ખોલતા. તેની બૂમો સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા હતા. ત્યારબાદ ચોથા માળેથી ઘરમાં જઈને એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો.

જો કે, પત્ની અને આસપાસનાં લોકો દરવાજો ખોલતા જ એકદમ ચોંકી ગયા હતા. જે બાદ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ, સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતાં પોલીસને ઘરમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં પરેશભાઈએ આ અંતિમ પગલું ભરવા પહેલા પોતાની વ્યથા વર્ણવી હતી. તેમણે લખ્યુ હતુ કે, 'પત્નીનાં ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરું છું. પરંતુ મારા માર્યા પછી પુત્રનું પણ મારી પત્ની ધ્યાન નહીં રાખે. જેથી તેની દુર્દશા થશે તેના કરતા તેને પણ સાથે લઇ જાઉં છું. આથી પુત્રની ચિંતા જ ના રહે.'

આ સાથે જ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે, 'મારા બે મિત્રોએ મને આર્થિક સંકટમાં ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રોએ મકાન ઉપર લોન લઇને મને પૈસા આપ્યા છે. મારા મિત્રોએ સખી મંડળમાંથી લોન લીધી છે. તેઓને હું પૈસા આપી શક્યો નથી તે બદલ હું માફી માંગુ છુ. મારી રિક્ષા વેચીને તેમને પૈસા પરત કરી દેજો. મારા મિત્રોએ મને અંતિમ સમયે મદદ કરી હતી.' આ સાથે જ પરેશભાઇએ વધુમાં લખ્યું છે કે, 'હું મોટી બહેનની માફી માંગુ છુ.' મોટી બહેનનાં રૂપિયા પણ પરત નહીં આપતા પરેશભાઈએ મોટી બહેનની પણ માફી માંગી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.