વડોદરામાં શાંતિથી ચા પીતા ગ્રાહકોને PSI સહિત પોલીસકર્મીઓએ દોડાવીને માર્યા

કોરોના મહામારીના સમયગાળામાં વડોદરાના છાણી વિસ્તારમાં ગુરુદ્રારામાં ઘુસીને ધર્મગુરુ સાથે બેહુદુ વર્તન કરીને વિવાદમાં આવેલા PSI કે. પી. ડાંગર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ખાખીની દાદાગીરી જોવા મળી રહી છે. PSI તેના સાથીઓ સાથે એક હોટલમાં ઘુસીને ગ્રાહકોને દંડાથી ફટકારી રહ્યા છે અને બધાને ભગાડી રહ્યા છે. હોટલના સંચાલકને પણ માર મારવામાં આવ્યો હતો. હોટલના માલિકે ઉચ્ચ પોલીસ અધિકારીને આ PSI સામે લેખિતમાં ફરિયાદ કરી છે. કોરોના મહામારી વખતે PSI ડાંગરની સામે ફરિયાદ થઇ હતી ત્યારે તેમની માત્ર બદલી કરી દેવામાં આવી હતી.

છેલ્લાં ઘણા સમયથી ગુજરાત પોલીસ એવું કહી રહી છે કે પોલીસ પ્રજાના રક્ષણ માટે છે અને પોલીસે પ્રજા સાથે સારું વર્તન કરવું જોઇએ. પોલીસથી પ્રજાએ ડરવું ન જોઇએ. પરંતુ વડોદરા પોલીસનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તો પોલીસ નિદોર્ષ લોકોને રંજાડી રહી છે. હોટલ સામે પોલીસને કોઇ વાંધો હોય તો માલિકની પુછપરછ કરે, કે ધરપકડ કરે, જોઇએ તો હોટલ બંધ કરાવી દે,પરંતુ હોટલમાં આવેલા ગ્રાહકોને ફટકારવાનો શું મતલબ છે? આવા બેફામ પોલીસને કારણે જ પ્રજા પોલીસથી દુર ભાગે છે.

વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના PSI કે પી ડાંગર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. PSI ડાંગર યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી એક હોટલમાં ઘુસી ગયા હતા અને હોટલમાં આવેલા ગ્રાહકો અને હોટલ માલિકને માર મારતો વીડિયો વાયરલ થયો છે.

PSI ડાંગર 14 માર્ચે રાત્રે 12 વાગ્યે મદાર હોટલમાં પહોંચી ગયા હતા અને હોટલમાં ચા પી રહેલા ગ્રાહકોને ભગાડ્યા હતા. PSI હોટલમાં ઘુસી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે એવા CCTV ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હોટલના માલિકે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.

હોટલના માલિક કુતબુદ્દીને પોતાના પરિવારને સાથે રાખીને DCPને ફરિયાદ નોંધાવી છે અને PSIના વર્તન સામે ન્યાયની માંગણી કરી છે. મદાર હોટલના માલિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, PSIએ જે વર્તન કર્યું છે તેના આખો મામલો CCTVમાં કેદ થયેલો છે. અમે પુરાવા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ ન્યાય નહીં મળશે તો કોર્ટના દરવાજા ખટખટાવીશું.

PSI કે પી ડાંગર અગાઉ પણ વર્દીનો રોફ બતાવી ચૂક્યા છે. કોરોના મહામારી વખતે છાણી વિસ્તારમાં આવેલા ગુરુદ્રારામાં બુટ પહેરીને ઘુસી ગયા હતા અને ધર્મગુરુ સાથે બબાલ કરી હતી. શીખ સમાજની ઉગ્ર રજૂઆત બાદ ડાંગરની બદલી કરી દેવામાં આવી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.