વજૂભાઇ વાળાએ PM મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી દીધી, કહ્યું- કૃષ્ણની જેમ...

ગુજરાતના રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સામેલ થવા આવેલા રાજ્યના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકમાં રાજ્યપાલ રહી ચૂકેલા વજૂભાઇ વાળાએ બે મોટા નિવેદનો આપીને રાજકારણને ગરમાવી દીધું હતું. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ભાજપ કેટલી જીતશે તેની પર નિવેદન આપ્યુ હતું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્દ મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી દીધી હતી.

રાજકોટ વજૂભાઇ વાળાનું નેટિવ છે અને રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારનું અદકેરું મહત્ત્વ છે. આખું રાજકોટ જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્મય બની જાય છે. શુક્રવારે રાજકોટમાં જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે યોજાયેલી ધર્મ સભામાં ભાગ લેવા પહોંચેલા ભાજપના દિગ્ગજ નેતા વજૂભાઇ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે હિંમત કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળી શકે છે. તેમણે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી વિશે બોલતા કહ્યું હતું  કે ભાજપમાં અઘરું છે, પરંતુ અશક્ય નથી. ગુજરાતમાં જીતશે તો ભાજપ એમ પણ તેમણે કહ્યુ હતું.

વજૂભાઇ વાળાએ કહ્યુ કે ગુજરાતમાં ત્રીજો,ચોથો કે પાંચમો મોરચો આવે, તો પણ જીતશે તો ભાજપ જ. ભાજપ પણ કોઇ પણ આહવાન કરે છે તો તેને પુરું કરવાની ક્ષમતા ધરાવે છે.

વાળાએ બીજું મહત્ત્વનું નિવેદન એ આપ્યું હતું કે PM મોદીએ ભગવાન કૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્ત્વ આપ્યું નથી. ભગવાન કૃષ્ણએ ધર્મ માટે મામા કંસનો વધ કર્યો હતો. PM મોદી પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો વિરોધી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે અને બધા રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં પડી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે એવું કહ્યુ હતું કે ગુજરાતમાં ભાજપ બધી 182 બેઠકો પર જીત મેળવશે.

જો કે આ વખતે આમ આમ આદમી પાર્ટીને એન્ટ્રીને કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ  થવાનો છે. ભાજપે તો ક્યારનોય ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને આમ આદમી પાર્ટીને નેતા અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે અને તેમણે અહીં ગેરંટી આપવાનું શરૂ કરી દીધું છે.કોંગ્રેસે પણ ઝોન વાઇસ ધમધમાટ શરૂ કર્યો છે.

હવે ભાજપના નેતા વજૂભાઇ વાળાએ આમ આદમી પાર્ટી સામે આડકતરી રીતે નિશાન સાધતા કહ્યુ હતું કે ગુજરાતમાં ત્રીજો, ચોથો, પાંચમો કેટલાં પણ મોર્ચા આવે જીતશે તો ભાજપ જ.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.