વેવાઇના મૃતદેહ જોઇને વેવાણને પણ એટેક આવી ગયો, દીકરીએ પિતા અને સાસુ ગુમાવ્યા

પાંડેસરા વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેઢનું મોત થયું હતું, તેમનો મૃતદેહ ઘરમાં હતો તે વખતે સગા સંબંધીઓ ઘરે આવ્યા હતા. એ સમયે મૃતદેહ જોઇને આ આધેઢના વેવાણ પણ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું. હજુ તો એક અર્થી ઘરમાં હતી અને વેવાણનું મોત થવાને કારણે બે અર્થી ઉપાડવી પડી વેવાણનું અને વેવાઇ બંનેનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.

જાણવા મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા નરેશભાઇ ગુરવની દીકરી આશાબેનને ત્યાં પરણાવેલી છે. એટલે સંબંધમાં તેઓ એકબીજાના વેવાઇ અને વેવાણ થતા હતા. 50 વર્ષની ઉંમરના નરેશભાઇ સવારે ચા પીને બહાર આંટો મારવા ગયા હતા અને પાછા ઘરે આવ્યા અને પત્નીને કહ્યું કે મારે નાસ્તો કરવો છે અને  અખબાર વાંચી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. પરિવારના સભ્યો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. તબીબોએ હાર્ટએટેકને કારણે નરેશભાઇનું મોત થયું હોવાનું કહ્યું હતું. તબીબોએ મૃત જાહેર કરવા છતા નરેશભાઇના પરિવારને સંતોષ નહોતો થયો, તેમને આશા હતી કે તેઓ જીવી જશે એટલે બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેએ બચી શક્યા ન હતા.

નરેશભાઇના મૃતદેહને લઇને પરિવારજનો ઘરે આવ્યા અને સગાસંબંધીઓને તેમના મોતના સમાચાર આપ્યા હતા. નરેશભાઇ ગુરવ વહુના પિતા હોવાને કારણે આશાબેન વેવાઇના ઘરે પહોંચ્યા હતા. ફર્સ પર પડેલો નરેશભાઇનો મૃતદેહ જોઇને આશાબેન ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા. આશાબેનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.

નરેશભાઇની દીકરીએ તો પોતાના પિતા અને સાસુ બંનેને એકસાથે ગુમાવવાનો વારો આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી આપણે સમાચારો સાંભળી રહ્યા છે કે સાવ નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. સુરત- રાજકોટ સહિત અન્ય શહેરોમાં ક્રિક્રેટ રમતા યુવાનોને અચાનક હદયરોગનો હુમલો થઇ રહ્યા છે. નરેશભાઇ ગુરવ અને તેમના વેવાણ 50 વર્ષની વયના જ હતા, પરંતુ આવા હાર્ટ એટેના બનાવોએ ચિંતા વધારી દીધી છે. દીલના રોગોના નિષ્ણાત તબીબોએ અને સરકારે આ બાબતે ખરેખર ધ્યાન આપવાની જરૂર છે કે અચાનક હાર્ટ એટેકના કિસ્સા યુવાનોમાં કેમ વધી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.