રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને રોકવા વિજ્ઞાન જાથાના ચેરમેન કલેક્ટર મળ્યા

ગુજરાતમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ, અમદાવાદ અને સુરતમાં યોજાવાનો છે. આ કાર્યક્રમોનું આયોજન થાય તે અગાઉ જ વિવાદ છેડાઇ રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંકાઈ રહ્યા છે. હવે વિજ્ઞાન જાથાએ રાજકોટમાં કાર્યક્રમનું આયોજન ન કરવાની માગ કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે આ બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારવાળા કાર્યક્રમને પણ મંજૂરી ન મળવી જોઈએ તેવી માગ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં યોજાનાર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને વિવાદ વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાવો ન જોઈએ તેવી માગ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી ન મળવી જોઈએ તેવી માગ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા રાજકોટ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા.

જયંત પંડ્યાએ પોતાની રજૂઆત કરીને જણાવ્યું હતું કે, તેઓ કોઈ પણ જાતના લાઇસન્સ કે અન્ય મંજૂરી વિના તેઓ મેડિકલ સારવાર કે પ્રપંચ કરે છે, જે રોકવી જોઈએ. જયંત પંડ્યાએ કહ્યું કે, આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ, બાબાને વિજ્ઞાન જાથા દ્વારા ચેલેન્જ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. અમારા 50 લોકો બાબાના દરબારમાં હશે, બાબા તેમના નામ અને અન્ય વસ્તુઓ જાહેર કરે તેવી ચેલેન્જ પણ કરવામાં આવી હતી. વિજ્ઞાન જાથા દાયકાઓથી કામ કરે છે અમે કોઈથી ડરતા નથી. જે કોઈ પણ આવે અમે ક્યારેય પીછેહટ કરી નથી.

તેમણે આગળ જણાવ્યું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની વિશ્વસનીયતા સાબિત કરે, લોકોને ભરમાવવા અને બંધારણનો ભંગ કરવા બાબતે તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માગ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ ધર્મ કે સનાતનને અમે માનીએ છીએ, પરંતુ જે કૃત્ય સનાતનના નામે કામ કરે તે ક્યારેય સ્વીકારી ન શકાય. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, અમે પુરાવા ભેગા કરી રહ્યા છે, પેન ડ્રાઇવમાં પુરાવા પોલીસ કમિશનરને આપશું. અમારી સંસ્થાનું કામ લોકોને જાગૃત કરવાનું છે. રાજકોટમાં જે બાબા બાગેશ્વર ધામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે મુદ્દે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.