વિજય રૂપાણી અને નીતિન પટેલના સારા દિવસો આવી રહ્યા છે, આ રેસમાં આગળ

ગુજરાતમાં નો રિપીટ થિયરી લાગૂ થતા પહેલાં લાંબા સમય સુધી સરકારનો ચહેરો રહેલા વિજય રૂપાણી અને નીતિન પટેલના સારા દિવસો ફરી આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે ભૂતપૂર્વ નેતાનું લેબલ લાગીને ઘરે બેઠેલા આ બંને નેતાઓને ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ટિકીટ મળી શકે છે. રાજ્યમાં ખાલી થઇ રહેલી સીટ માટે વિજય રૂપાણી અને નીતિન પટેલના નામ રેસમાં સૌથી આગળ છે.

ગુજરાતમાં પાંચ વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળનારા વિજય રૂપાણી અને નીતિન પટેલનો એકાંતવાસ જલ્દી ખતમ થઇ શકે છે. પાર્ટીના આ બંને સિનિયર અને દિગ્ગજ નેતાઓ વર્ષ 2023માં રાજ્યસભામાં પહોંચી શકે છે.

ગુજરાતમાં રાજ્યસભામાં 3 બેઠકોનો કાર્યકાળ ઓગસ્ટ 2023માં પુરો થઇ રહ્યો છે. એવામાં જુલાઇના અંત સુધીમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઇ શકે છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણી લડ્યા નહોતા. વિજય રૂપાણીને તો અત્યારે ભાજપે પંજાબના પ્રભારી બનાવેલા છે, પરંતુ નીતિન પટેલ પાસે તો કોઇ ખાસ જવાબદારી નથી.

ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં રાજ્યસભામાં કુલ 11 સીટ છે. જેમાંથી 7 સીટ ભાજપ પાસે છે, 3 કોંગ્રેસ પાસે છે. ભાજપની ગુજરાત રાજ્યસભામાં જે 7 સીટ છે, તેમાંથી 3 સીટનો કાર્યકાળ ઓગસ્ટ 2023માં પુરો થવાનો છે. અત્યારે આ સીટ પર રાજ્યસભાના સભ્ય તરીકે એસ. જયશંકર, જુગલજી માથુરજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે.

એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે, એસ. જયશંકર ફરી એકવાર ગુજરાત રાજ્યસભાના સભ્ય બને. બાકીના બે રાજ્યસભા સભ્યોને બદલે વિજય રૂપાણી અને નીતિન પટેલના નામ રેસમાં સૌથી ઉપર છે. વિજય રૂપાણી એક વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે, જ્યારે ચાર મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂકેલા નીતિન પટેલને તક મળશે તો તેઓ પહેલીવાર રાજ્યસભામાં પહોંચશે.

રાજ્યસભામાં જ્યાં ઓગસ્ટ 2023માં 3 સીટો ખાલી થઇ રહી છે તો વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં એપ્રિલ મહિનામાં અન્ય 4 સીટો પણ ખાલી થઇ રહી છે. આ 4માંથી 2 ભાજપ પાસે છે અને 2 કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ સિંહ રાઠવા અને અમી યાજ્ઞિક અત્યારે રાજ્યસભાના સભ્ય છે અને ભાજપ તરફથી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભાના સભ્ય છે.બંને નેતાઓને ભાજપ ફરી રિપીટ કરે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે રહેલી રાજ્યસભાની બેઠકો પર લોકસભા ચૂંટણીથી ભાજપ તેના વધુ બે નેતાઓને રાજ્યસભામાં મોકલી શકશે. ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ, જૂન 2026માં ભાજપ તમામ 11 બેઠકો કબજે કરી લેશે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.