પોલીસકર્મીને અંતિમ વિદાય આખું ગામ હિબકે ચઢ્યું, દીકરાએ કહ્યું- પાપીઓને ફાંસી આપો

અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલની જેગુઆર કારની અડફેટે મોતને ભેટેલા  હેડકોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની શુક્રવારે તેમના વતન ગોધરામાં જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. જશવંતસિંહ ચૌહાણના પુત્રએ ધુસ્કે ધ્રુસ્કે રડતા રડતા કહ્યુ કે અમારા ઘરનો દિવો ઓલવી નાંખ્યો, આ પાપીઓને ફાંસીની સજા થવી જોઇએ. ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોની જિંદગી વેરણ છેરણ થઇ ગઇ હતી.

અમદાવાદનો 19 વર્ષના યુવાન તથ્ય પટેલ બુધવારે રાત્રે જેગુઆર કરામાં મિત્રો સાથે પુરપાટ ઝડપે જઇ રહ્યો હતો ત્યારે બ્રિજ પર લોકોની ભીડ હતી. એક અન્ય અકસ્માતને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા. તથ્ય પટેલે આ ભીડ પર કાર ચઢાવી દીધી હતી અને લોકો હવામાં ફંગોળાયા હતા અને 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં અમદાવાદ પોલીસ વિભાગમાં  હેડ કોન્સેટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું પણ મોત થયું હતું.તેઓ ગોધરાના સાંપા ગામના વતની હતા

જશવિંતસિંહ ચૌહાણના પાર્થિવ દેહને શુક્રવારે તેમના સાંપા ગામ લાવવામાં આવ્યો ત્યારે તેમના પરિવારજનો અને ગામ લોકોના કલ્પાંતે આખા ગામને ધ્રુજાવી દીધું હતુ.તેમની અતિંમ યાત્રા નિકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. પંચમહાલ પોલીસ દ્રારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૂળ ગોધરાના વતની જશવંતસિંહ ચૌહાણ 1998થી ગુજરાત પોલીસમાં સેવા બજાવતા હતા અને તાજેતરમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફીક પોલીસ તરીકે ફરજ બજાવતા હતા.જાણવા મળેલી માહિતી મુજબ જશવિંત સિંહ ચૌહાણની ગામમાં એક સારા વ્યકિત તરીકેની છાપ હતી. તેમના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા અને તેમને સંતાનોમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની છે. બંને સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે તો માતા પિતાનો ઘડપણનો સહારો છિનવાયો છે.

જશવંતસિંહ ચૌહાણના સંતાનો હજુ અભ્યાસ કરે છે અને તેમના માતા-પિતા વૃદ્ધ છે એટલે ઘરમાં બીજું કોઇ કમાનાર પણ નથી. સરકારે પરિવારને 4 લાખ રૂપિયાની મદદ કરી છે, પરંતુ તે ક્યાં સુધી ચાલશે તેવું પરિવારે કહ્યું છે.જશવિંતસિંહ ચૌહાણના પુત્રએ કહ્યું હતું કે અમારા પરિવારનો દીવો ઓલવી નાંખ્યો છે, એ પાપીઓને ફાંસીની સજા થવી જોઇએ.

આ અકસ્માતમાં સુરેન્દ્રનગરના ટ્રાફિક પોલીસ ધર્મેન્દ્ર સિંહ પરમાર પણ મોતને ભેટ્યા હતા તેમના ગામ ચુડામાં જ્યારે તેમની અર્થી નિકળી તો આખું ગામ શોકમગ્ન થઇ ગયું હતુ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.