જામનગરના ગેંગસ્ટરને લંડનથી ગુજરાત લાવવાનો માર્ગ મોકળો, UK કોર્ટે મંજૂરી આપી

વર્ષ 1999માં પિત્તળની ઠગાઇથી ગુનાખોરીની દુનિયામાં આવેલો જામગરનો એક ગેંગસ્ટર લંડન ભાગી ગયો હતો, UKની કોર્ટે પ્રત્યાપર્પણની અરજી મંજૂર કરી દીધી છે એટલે હવે આ ગેંગસ્ટરને ગુજરાત લાવવાનો માર્ગ મોકળો થયો છે. નિરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા ભાગેડુઓને પણ સરકાર ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી ભાગેડુઓ લંડનમાં જ છે. જામનગરના આ ગેંગસ્ટર અને જમીન માફીયાએ 42 વર્ષની ઉંમરમાં 42 ગુનાઓ તેના નામે નોંધાયેલા છે. આ ગેંગસ્ટર જામનગરના એક જાણીતા વકીલની હત્યા કરીને વાયા દુબઇ લંડન ભાગી ગયો હતો.

લંડનની જેલમાં સજા કાપી રહેલો જામનગરનો ગેંગસ્ટર જયેશ પટેલ ઉર્ફે જયસુખના પ્રત્યાપર્ણને UKની કોર્ટે મંજૂરી આપી દીધી છે એટલે હવે થોડાક સપ્તાહમાં જયેશ પટેલને ગુજરાત લવાશે. ગુજરાત પોલીસ સતત UKના  સંપર્કમાં છે. UKની કોર્ટમાં જયેશ પટેલની 13 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. જયેશ પટેલ કોર્ટને વિનંતી કરતો રહ્યો હતો કે, મારે ભારત જવું નથી મને એક ખાસ પ્રકારની બિમારી છે અને અધિકારીઓ મને હેરાન કરશે. પણ UKની કોર્ટે તેની બહાનાવાજી માની નથી અને પ્રત્યાપર્ણનો રસ્તો સાફ કરી દીધો છે. જયેશ પટેલ સામે ગુજરાતમા જે ગુના નોંધાયેલા છે તેની સુનાવણી થશે. જો જયેશ પટેલ મોંઢુ ખોલશે તો મોટા નેતાઓ અને અધિકારીઓના નામ બહાર આવશે.

જયેશ પટેલની ગુનાની કુંડળી એવી છે કે તેણે 1999માં પિત્તળની ઠગાઇથી ક્રાઇમની દુનિયામાં પગ મુક્યો હતો એ પછી તેની હિંમત એટલી વધી ગઇ હતી કે ધીમે ધીમે તે જામનગરનો ગેંગસ્ટર અને જમીન માફિયા તરીકે કુખ્યાત થઇ ગયો હતો. જયેશની સામે જમીનના કૌભાંડોના પણ અનેક કેસ થયેલાં છે. ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ (ગુજકોકા)નો પહેલો કેસ જયેશ પટેલ સામે નોંધાયો હતો.

વર્ષ 2018માં જયેશ પટેલ જામનગરના એક જાણીતા એડવોકેટ કિરીટ જોશીની હત્યા કરીને નકલી પાસપોર્ટના આધારે દુબઇના રસ્તે લંડન ભાગી ગયો હતો. એડવોકેટ કિરીટ જોશીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કે જયેશ પટેલે 25 વખત જામીન અરજી કરી હતી, પરંતુ દરેક વખતે કોર્ટે તેની જામીન રદ કરી નાંખી હતી, કારણકે કિરિટ પટેલ તેની જામીન અરજીનો વિરોધ કરતા હતા.

લંડન ભાગી ગયા પછી 2021માં જયેશ પટેલની ધરપકડ થઇ હતી અને તે લંડનની જેલવાસ ભોગવતો હતો. કોઇ પણ એવો ગુનો ન હોય જે જયેશ પટેલે ન આચર્યો હોય, ખંડણી, ધમકી આપવી , જમીન પડાવી લેવી, હત્યા, હત્યાનો પ્રયાસ એ અનેક ગુનામાં જયેશ પટેલ સંડોવાયેલો છે.

જયેશ પટેલે એડવોકેટ કિરિટ જોશીની હત્યા ઉપરાંત બિલ્ડર ગિરિશ ડેરની હત્યાનો પ્રયાસ કર્યો હતો, પ્રોફેસર રાજાણીની કાર પર ફાયરીંગ કર્યુ હતું અને હસમુખ પેઢાધિયાની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.