અમે કોઈને છેડીશું નહીં, છેડશે તો છોડીશું નહીં..VHPની સભામાં વજુભાઈ વાળાની ગર્જના

ગુજરાત BJPના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દેશભરમાં સનાતન ધર્મની ચર્ચાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજકોટમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત ધાર્મિક સભામાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, અમે કોઈની વચ્ચે નહીં આવીએ, પરંતુ અમારા માર્ગમાં કોઈ આવશે તો અમે તેને છોડીશું નહીં. વજુભાઈ વાળાએ ધર્મસભામાં તમામ હિન્દુઓને એક થવા માટે અપીલ કરી હતી.

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં આયોજિત જન્માષ્ટમી શોભાયાત્રામાં સનાતન ધર્મ અંગે અનેક નિવેદનો આપ્યા હતા. તેમણે શોભાયાત્રા પૂર્વે યોજાયેલી ધાર્મિક સભામાં સમગ્ર હિન્દુ સમાજને એક થવા હાકલ કરી હતી. વજુભાઈ વાળાના નિવેદનને તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન અને ગુજરાતના સાળંગપુર હનુમાન મંદિર વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વજુભાઈ વાળાએ સનાતન ધર્મના વિરોધીઓને નામ લીધા વગર સખત શબ્દોમાં ચેતવણી આપી હતી. વજુભાઈ વાળાનું આ નિવેદન PM નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં આપેલા નિવેદન પછી આવ્યું છે. જેમાં PM નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મની નિંદા કરનારાઓને કડક જવાબ આપવા જણાવ્યું હતું.

રાજકોટમાં આયોજિત જન્માષ્ટમી શોભાયાત્રામાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, નાની-નાની ભૂલો માટે તલવાર નીકાળવી યોગ્ય નથી પરંતુ જો ત્યાર પછી પણ કોઈ વિવાદ થાય તો તેને સૌહાર્દપૂર્વક વાતાવરણમાં ઉકેલવામાં આવશે. હા, પરંતુ ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ટાળવું પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, ભગવાન કૃષ્ણે આપણને એવા વ્યક્તિની જેમ જીવવાનું શીખવ્યું છે, જેનું ચારિત્ર્ય શુદ્ધ હોય, જે ધર્મ પ્રેમી હોય, જે રાષ્ટ્ર પ્રેમી હોય. સમગ્ર હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. અમે કોઈને છેડશું નહીં, પરંતુ જો કોઈ અમને છેડશે તો અમે તેને છોડીશું પણ નહીં. વજુભાઈ વાળાએ છેલ્લે કહ્યું કે, ઓછું જીવો પણ મર્દાનગીથી જીવો. વજુભાઈ વાળા એ જ નેતા છે જેમણે હાલના PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM બન્યા ત્યારે તેમની સીટ તેમના માટે ખાલી કરી આપી હતી. તેઓ ગુજરાતના નાણામંત્રીની સાથે વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.