ગુજરાત વિધાનસભામાં AAPના લીડર કોણ બનશે? આ બે નામ ચર્ચામાં

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક મહિના કરતા વધારે સમય પુરો થવા છતા આમ આદમી પાર્ટી વિધાનસભામાં પોતાના નેતાનું નામ જાહેર કરી શકી નથી. કોને નેતા બનાવવો એ બાબતે હજુ મનોમંથન જ ચાલી રહ્યું છે.કોંગ્રેસે બે દિવસ પહેલા વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામ જાહેર કરી દીધા હતા. હવે બધાની નજર ત્રીજી પાર્ટી પર છે.

CHAITAR VASAVA

ગુજરાત વિધાનસભામાં AAP નેતાનું નામ જાહેર કરવામાં નથી, પરંતુ, એવી ચર્ચા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અથવા જામ જોઘપુરના ધારાસભ્ય હેમંત ખાવાને જવાબદારી સોંપવામાં આવી  શકે છે. આમ આદમી પાર્ટીના સુત્રોનું કહેવું છે કે વિધાનસભામાં AAP નેતા તરીકે હેમંત ખાવાની શક્યતા વધારે છે. એનું કારણ એવું છે કે પાર્ટીએ ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપેલી છે. એટલે શક્ય છે કે ગૃહના નેતા  તરીકે હેમંત ખાવા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે.

HEMANT KHAVA

જામનગર જિલ્લાની જામ જોધપુર સીટ પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડેલા હૈમંત ખાવા 10 નવેમ્બર 2022માં જ AAP સાથે જોડાયા હતા, છતા પાર્ટીએ તેમને ટિકીટ આપી હતી અને ચૂંટણી જીત્યા હતા. તે વખતે હેમંત ખાવા જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ બેંક અને જામ જોધપુર APMCમાં ડિરેકટર હતા. હેમંત ખાવાને 47.45 ટકા વોટ મળ્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવાર હેમંત સાપરિયાને હરાવ્યા હતા.

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં ભારે જોર લગાવ્યું હતું અને AAP નેતાઓની ફોજ ઉતારી દીધી હતી. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની અનેક વખત મુલાકાત લીધી હતી અને મફત વીજળી સહિતના અનેક વચનો આપ્યા હતા. ગુજરાતમાં બીજા મોર્ચો તરીકેનો દાવો કરનાર આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ભલે 5 જ સીટ પર જીત મેળવી હતી, પરંતુ 13 ટકા મત હાંસલ કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા આમ આદમી પાર્ટીના જે 5 ધારાસભ્યો ચૂંટાયા હતા તેમાં બોટાદથી ઉમેશ મકવાણા, ડેડિયાપાડીથી ચૈતર વસાવા, ગારિયાધારથી સુધીર વાઘાણી, વિસાવદરથી ભુપત ભાયાણી એને જામ જોધપુરથી હેમંત ખાવાનો સમાવેશ થાય છે. આ બધા પહેલી જ વાર ધારાસભ્ય બન્યા છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.