ટ્વીટર પર ‘ગુજરાત આદિવાસી બચાવો’ કેમ ટ્રેન્ડ થઇ રહ્યું છે,શું 14 બંધક છે?

મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં ગુજરાતના 14 આદિવાસીઓને બંધક બનાવવાને લઇને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં પોસ્ટ સામે આવી રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મજૂરી કરવા ગયેલા આદિવાસીઓને મહારાષ્ટ્રના ખેડુતે બંધક બનાવી દીધા છે અને પરત આવવા દેતો નથી.

મહારાષ્ટ્રમાં એક ખેડૂતે કથિત રીતે ગુજરાતના 14 આદિવાસી મજૂરોને બંધક બનાવ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટર કામદારોના પગાર માટે એડવાન્સ 7 લાખ રૂપિયા લઈને ભાગી ગયો હતો. ખેડૂત દ્વારા બંધક બનાવવામાં આવેલા મજૂરોના પરિવારોએ તેમને બચાવવા માટે ગુજરાત સરકાર પાસે મદદ માંગી છે. માનમોડી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નગીન ગાવિતે મીડિયાને જણાવ્યું કે થોડા મહિનાઓ પહેલા મોતા માલુંગાના 14 મજૂરોને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા મહારાષ્ટ્રના તામખેડા પવાર વાડી ગામમાં કૃષિ કામ માટે લઈ જવામાં આવ્યા હતા.

TRIBAL

સોશિયલ મીડિયા પર ગુજરાતના આદિવાસીઓને મહારાષ્ટ્રમાં બંધક કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને છોડાવવા માટે મદદની વિનંતી કરવામાં આવી રહી છે. #गुजरात_आदिवासी_बचाओ હેશ ટેગ સાથે ટ્વીટ કરવામાં આવી રહ્યું છે. આ ટ્વીટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડીજીપી ગુજરાત, ગુજરાત પોલીસને બારામતીમાં બંધક આદિવાસીઓને છોડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

ટ્વીટર પર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે  કે ગુજરાતના ડાંગ જિલ્લામાંથી રોજગારી માટે 14 આદિવાસી મજૂરો સતારા જિલ્લાની પાસે બારામતી પાસે એત ધનવાન ખેડુતે બંધક બનાવી લીધા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસીઓ પર અત્યાચાર અને કિડની વેચવાની ધમકી આપવામાં આવી રહી છે. મંગળવારે સવારથી ટ્વીટર પર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પર 10,000થી વધારે ટ્વીટ કરવામાં આવ્યા છે.

નવભારત ટાઇમ્સ ઓનલાઇનના એક અહેવાલમાં સ્થાનિક ધારાસભ્યને ટાંકીમાં કહેવામાં આવ્યું છે કે આવી કોઇ વાત નથી. સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે, ડાંગ પોલીસના માધ્યમથી બારામતી પોલીસ સાથે સંપર્ક કરવામાં આવ્યો  છે અને જાણવા મળ્યું છે કે બંધક જેવી કોઇ વાત નથી. ધારાસભ્યએ કહ્યુ કે આ વાત આદિવાસીઓએ ત્યાં પોલીસ સ્ટેટમેન્ટમાં પણ કહી છે, આમ છતા વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ડાંગ જિલ્લામાંથ કેટલાંક લોકોને બારામતી મોકલવામાં આવી રહ્યા છે, એ લોકો ત્યાં જઇને સાચી વાતનો તાગ મેળવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.