મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 દર્દીના મોત, જેમાં 16 બાળકો

મહારાષ્ટ્રના નાંદેડમાં મોતોનો સિલસિલો થંભવાનું નામ લઇ રહ્યો નથી. હોસ્પિટલમાં 4 બાળકો સહિત સાત વધુ દર્દીઓના મોત થઇ ગયા છે. પાછલા 48 કલાકમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. પાછલા 48 કલાકમાં રાજ્યની આ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મરનારાઓનો આંકડો હવે 31 થઇ ગયો છે. જેમાં 16 બાળકો સામેલ છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં થઇ રહેલી મોતોથી હેલ્થ સિસ્ટમ પર સવાલ ઊભા થઇ રહ્યા છે. આખરે આ મોતો થવા પાછળનું કારણ શું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. આ મોતો માટે લોકો લચર સરકારી તંત્રને જવાબદાર માની રહ્યા છે. આ કેસ નાંદેડની શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલનો છે.

હોસ્પિટલમાં થઇ રહેલી મોતો પર આ સરકારી હોસ્પિટલના ડીનનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મોટાભાગની મોતો સાપના ડંખથી થઇ છે અને બાકીની મોતો અન્ય બીમારીઓના લીધે થઇ છે. પણ સ્થિતિ એવી છે કે, હજુ સુધી મોતોના મામલા બંધ થવાનું નામ લઇ રહ્યા નથી. આ આંકડાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલના ડીને કહ્યું હતું કે, 70-80 કિમીના અંતરમાં માત્ર આ જ એક હોસ્પિટલ છે. દૂર દૂરથી લોકો અહીં સારવાર લેવા માટે આવે છે. થોડા દિવસોથી દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. અમે સ્થાનીય સ્તરે દવાઓ ખરીદીને દર્દીઓને પૂરી પાડી છે. અમે થર્ડ લેવલે આવતું હેલ્થ સેન્ટર છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મોતોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મોતોને લઇ હોસ્પિટલ પાસેથી જાણકારી માગવામાં આવશે અને એક્શન પણ લેવામાં આવશે. તો વિપક્ષ આ ઘટનાને લઇ એકનાથ સરકાર પર હમલાવર થઇ છે. તેમનું કહેવું છે કે, આ ઘટનાની જવાબદારી મહારાષ્ટ્રની ટ્રિપલ એન્જિન સરકારે લેવી જોઇએ.

મહારાષ્ટ્ર સરકારમાં ચિકિત્સા શિક્ષા મંત્રી હસન મુશ્રીફે કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે દવાઓ, ડૉક્ટરો હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં હતા. સ્ટાફ પણ હોસ્પિટલમાં મોજૂદ હતો. તેમ છતાં આવું શા માટે થયું તેને લઇ હું તેની મુલાકાત લઇશ. આ મામલામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. અમારા કમિશ્નર અને ડિરેક્ટર ત્યાં ગયા છે, હું પણ ત્યાં જઇ રહ્યો છું.

તો NCP નેતા શરદ પવારે કહ્યું કે, આ સરકારી તંત્ર ફેલ થવાનું પરિણામ છે. રાજ્ય સરકાર આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની ગંભીરતા પર વિચાર કરતા કડક પગલા લે. જેને લઇ આ પ્રકારના મામલા બીજીવાર ન બને અને દર્દીઓનું જીવન બચાવી શકાય.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.