જ્યાં વધુ વાયુ પ્રદૂષણ, ત્યાં વધુ તૂટી રહ્યા છે હાડકાં, નવી સ્ટડીમાં ખુલાસો

એક નવી સ્ટડીમાં આપણા સ્વાસ્થ્ય માટે ડરાવનારી વાત સામે આવી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જેટલા વધુ વાયુ પ્રદૂષણવાળા શહેર અથવા વિસ્તારમાં તમે રહેશો, તમારા હાડકાં એટલા જ વધુ નબળા બનતા જશે. ઑસ્ટિયોપોરોસિસ જેવી ક્રોનિક બીમારીઓ વધુ હશે. હાડકાં એટલા નાજુક થઈ જશે કે તે હળવી ઈજાથી પણ તૂટી શકે છે. ઉંમરની સાથે ઑસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના વધતી જાય છે. સામાન્યરીતે એ મહિલાઓ જેમનું મેનોપોઝ થઈ ચુક્યુ હતું. આ સ્ટડી દરમિયાન વૈજ્ઞાનિકોએ એ મહિલાઓના હાડકાંમાં ખનીજોના ઘનત્વની સ્ટડી કરી. એટલે કે મિનરલ્સની ડેન્સિટી તપાસી.

વૈજ્ઞાનિકોએ એ મહિલાઓના ઘરોની આસપાસ નાઈટ્રિક ઓક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને પીએમ 10ની તપાસ કરી. સાથે જ એ મહિલાઓના રેડ બ્લડ સેલ્સના વ્યાસની તપાસ કરી. એટલે કે તેમનું સાચુ સ્વાસ્થ્ય તપાસ્યું. જાણવા મળ્યું કે, જે વિસ્તારોમાં આ ઝેરીલા ગેસો અને પ્રદૂષણનું સ્તર વધુ હતું, તે વિસ્તારોની મહિલાઓના હાડકાં ખૂબ જ નબળાં હતા. ખાસ કરીને ગળું, કરોડરજ્જૂ અને થાપાના હાડકાં.

 

ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીના બાયોમેડિકલ સાયન્ટિસ્ટ ડિડિયર પ્રાડાએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિના હાડકાંની મજબૂતી માત્ર તેના ખાન-પાન પર નિર્ભર નથી કરતી. તે ક્યાં રહે છે, હવામાન કેવુ છે, પ્રદૂષણ કેટલું છે. આ ફેક્ટર્સનું પણ વ્યક્તિના હાડકાંની મજબૂતીમાં મોટું યોગદાન હોય છે. જે શહેરોમાં વધુ વાયુ પ્રદૂષણ હોય છે, ત્યાં રહેતા વ્યક્તિઓમાં હાડકાં તૂટવાનું જોખમ વધુ હોય છે. હાડકાંની તાકાત દિવસે ને દિવસે ઓછી થતી જાય છે.

પ્રાડાની સ્ટડી અનુસાર, નાઈટ્રોજન સાથે સંકળાયેલા પ્રદૂષણકારી તત્વોની સીધી અસર તમારા કરોડરજ્જૂના હાડકાં પર થાય છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં નાઈટ્રોજન સાથે સંકળાયેલા પ્રદૂષણકારી તત્વોના કારણે કરોડરજ્જૂના હાડકાંની સમસ્યાઓમાં 10 ટકાનો વધારો થયો છે. કરોડરજ્જૂના હાડકાંમાં ખનીજોનું ઘનત્વ 1.22 ટકા ઓછું થયુ છે. વાયુ પ્રદૂષણના કારણે હાડકાંની કોશિકાઓ જલ્દી મરવા માંડે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ બને છે, જેના કારણે હાડકાંમાં ઝેરી તત્વો મિક્સ થવા માંડે છે. પરંતુ, પહેલીવાર ડિડિયર પ્રાડાની ટીમને એ વાતના પુરાવા મળ્યા છે કે, નાઈટ્રોજન ઓક્સાઈડ્સના કારણે કરોડરજ્જૂના હાડકાં સહિત શરીરના અન્ય હાડકાંમાં ઘણુ વધારે નુકસાન થાય છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.