કોરોના બાદ દુનિયાભરમાં ડિપ્રેશનના મામલા બે ગણા થયા, યુવાઓને સૌથી વધુ અસર

કોરોના મહામારીએ દુનિયાભરના યુવાઓને માનસિકરીતે તોડી નાંખ્યા છે. અમેરિકન મેડિકલ જર્નલ જામા પીડિયાટ્રિક્સે તેને લઈને 29 રિસર્ચનું એનાલિસિસ પ્રકાશિત કર્યું છે. 80879 યુવાઓના સર્વેમાં જાણવા મળ્યું છે કે, મહામારી દરમિયાન બાળકો અને કિશોરોમાં ડિપ્રેશન અને ચિંતાના મામલાઓ બે ગણા થઈ ગયા છે. યુરોપમાં યૂનિસેફના હાલના રિપોર્ટ અનુસાર, આત્મહત્યા યુવાનોના મોતનું બીજું સૌથી પ્રમુખ કારણ છે.

દુનિયાભરમાં સૌથી વધુ મુશ્કેલી ઈટલીના યુવાનોએ ઝેલવી પડી રહી છે. મહામારી શરૂ થયા બાદ અહીં મેન્ટલ હેલ્થથી પીડિત યુવાનોની સંખ્યામાં રેકોર્ડ 64 ટકાનો વધારો થયો છે. આ ખતરનાક ટ્રેન્ડને સાયકોલોજિલ્ટે સાઈકોપેન્ડેમિક નામ આપ્યું છે. ઈટાલિયન સાયકોલોજિકલ એસોસિએશનના પ્રેસિડન્ટ ડેવિડ લેજારી કહે છે, મહામારીના દુષ્પ્રભાવોમાંથી નીકળવામાં વર્ષોનો સમય નીકળી જશે.

ઈટલી શહેર મિલાનમાં ન્યૂરોસાઈન્સ એન્ડ મેન્ટલ હેલ્થ ડિપાર્ટમેન્ટની ડાયરેક્ટર ક્લાઉડિયા મેંકાસી જણાવે છે કે, બાળકો માટે એકબીજા સાથે હળવુ મળવુ ખૂબ જ જરૂરી હતું પરંતુ, કોરોના કાળમાં વર્ચ્યુઅલ એજ્યુકેશનને પગલે બાળકો એકબીજા સાથે હળીમળી ના શક્યા. મહામારીએ યુવાનોને ગ્રેજ્યુએશન અને પહેલા પ્રેમ જેવી જીવનની પ્રમુખ ઘટનાઓથી દૂર કરી દીધા છે. આ હાલતમાં શોક, ચિંતા, તણાવ સ્વાભાવિક પણ છે. ઈટલીએ 2017 બાદથી આત્મહત્યા પર પબ્લિક રિસર્ચ નથી કર્યું.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ડેટાની અછતના પગલે ઈટલી સરકારની વધતા સાર્વજનિક સ્વાસ્થ્ય મુદ્દાને ઓછો આંકવાની વૃત્તિને દર્શાવે છે. નેશનલ બોર્ડ ઓફ સાઈકોલોજિસ્ટના મેમ્બર ફુલ્વિયા સિગ્નાની અને ક્રિસ્ટિયન રોમાનિએલોએ ઈટલીની હેલ્થ મેગેઝીનમાં લખ્યું છે કે, આપણે એક આપાત સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.

રોમમાં ચાઈલ્ડ હોસ્પિટલ બમ્બિનો ગૈસોના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મહામારી દરમિયાન આત્મહત્યાના પ્રયત્નો અને પોતાને નુકસાન પહોંચાડનારા યુવાઓની સંખ્યા બે ગણી થઈ ગઈ છે. તેમા સૌથી વધુ સંખ્યા 15થી 24 વર્ષના યુવાઓની છે.

કોરોના મહામારી દરમિયાન તેમજ ત્યારબાદ ટીનેજર્સ સૌથી વધુ ઈફેક્ટ થયા છે. બોર્ડ એક્ઝામ કેન્સલ થવી, સ્કૂલ-કોલેજો બંધ હોવી, મિત્રોને ના મળી શકવું, કરિયરની ચિંતા આ બધા કારણોને પગલે તેમનામાં ડિપ્રેશન અને એંગ્ઝાઈટી વધતી જોવા મળી છે. જેને કારણે ટીનેજર્સમાં ડિપ્રેશનના સૌથી વધુ મામલા સામે આવી રહ્યા છે. એવામાં જરૂરી છે કે, તેમનું વધુ ધ્યાન રાખવામાં આવે અને તેમની સાથે ખુલીને વાત કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.