આંખના નંબર ઉતારવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય થશે ફાયદો

ઘણીવાર એવું થાય છે કે, લોકોને નાનપણથી આંખમાં નંબર આવી જતા હોય છે. આંખના નંબર આવવાનું મુખ્ય કારણ હોય છે કે, જે લોકો વધારે પડતું ટીવી જુએ છે, મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે અને પૂરતી ઊંઘ નથી લેતા તેથી આંખોને જે આરામ જોઈએ તે આરામ મળતો નથી અને જેના કારણે આંખો નબળી પડે છે અને નંબર આવે છે. ત્યારે આજે અમે તમને એવા કેટલાક ઉપચાર બતાવીશું તેનાથી તમારી આંખોના નંબર દૂર થશે પરંતુ તેની સાથે સાથે તમને અન્ય ફાયદાઓ પણ મળશે.

બદામ

આંખોની રોશની માટે બદામ ખૂબ સારો ઉપાય છે. બદામ ખાવાથી માત્ર આંખોની રોશની નહીં પરંતુ મગજ પણ તેજ બને છે. રોજ રાત્રે 9થી 10 જેટલી બદામને પાણીમાં પલાળીને સવારમાં ઉઠીને તરત જ બદામને છાલ ઉતારીને ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે.

ત્રિફલા

ત્રિફળાને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેનાથી આંખ ધોવાથી આંખો સ્વચ્છ બને છે અને ધીમે ધીમે નંબર પર દૂર થાય છે.

સરસવનું તેલ

સરસવનું તેલ આંખોને સ્વચ્છ રાખવામાં અને આંખોની રોશની બચાવવા માટે ઘણુ ફાયદાકારક છે. રોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો આંખના નંબરની સમસ્યામાં ખૂબ જ ફાયદો મળી શકે છે.

ગાજર

 

ગાજરનો રસ પીવાથી કે, ગાજર ખાવાથી આંખો તેજ બને છે. કારણ કે ગાજરમાં વિટામિન A, B અને Cનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત ગાજરના રસનું સેવન કરવાથી શરીરમાં અન્ય પણ ઘણા ફાયદાઓ થાય છે.

વરીયાળી

1 ચમચી વરિયાળી , 2 ચમચી બદામ અને અડધી ચમચી ખાંડને એકસાથે પીસીને ત્યારબાદ તેને રાત્રે દરરોજ સૂતા પહેલા દૂધ સાથે પીવાથી આંખો સ્વસ્થ રહે છે અને નંબરને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

તાંબાના વાસણમાં પાણી પીવું

ભુતકાળમાં લોકો પાણી પીવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરતા હતા જેના કારણે તેઓને જલ્દીથી આંખોની બીમારી થતી નહોતી. તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત રહેવા દેવું અને ત્યારબાદ આ પાણીને સવારે ઉઠીને ખાલી પેટે પી લેવું અને ત્યારબાદ અન્ય જે પાણી વધે તે આખો દિવસ દરમિયાન પીવાથી શરીરમાં પણ ઘણા ફાયદા થાય છે અને આંખોની રોશની પણ તેજ બને છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ હોવાથી તે આંખોને રોશની માટે ફાયદાકારક રહે છે તેથી એક દિવસમાં બે અથવા ત્રણ કપ ગ્રીન ટી પીવાથી ફાયદો મળી શકે છે.

આંબળાનો મુરબ્બો

આંબળા ખાવાથી શરીરમાં આંખની રોશની સાથે સાથે ઘણા ફાયદાઓ થાય છે આયુર્વેદમાં પણ આમળાનું ઘણું મહત્ત્વ છે. કેટલીક દવાઓ બનાવવા માટે પણ આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આંબળાના મુરબ્બાને દિવસમાં બે વખત ખાવાથી આંખની રોશનીમાં ઘણો ફાયદો મળી શકે છે.

ગાયનું ઘી

ગાયનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી ગાયના દૂધમાંથી બનાવવામાં આવેલા ઘીથી રોજ કાનની પાછળ માલિશ કરવામાં આવે તો તેનાથી પણ આખોના નંબર દૂર થાય છે અને આંખોની રોશની વધી શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.