શિયાળામાં નહાતી વખતે આ ભૂલ કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે

શિયાળામાં નહાવું કોઇ પડકારથી ઓછું નથી. પણ શું તમને ખબર છે કે નહાવાની રીત તમારા હ્રદયનું સ્વાસ્થ્ય નક્કી કરે છે. કેટલાક લોકો એવા હોય છે કે જે, કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણીથી નહાય છે જે ખતરનાક હોઇ શકે છે. જ્યારે અમુક લોકો ઠંડીમાં એકદમ ગરમ પાણીથી નહાય છે અને તે પણ આપણા હ્રદય માટે જોખમકારક હોઇ શકે છે. ઠંડીના કારણે આપણી રક્ત વાહિકાઓ સંકોચાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે. તેનાથી આપણું હ્રદય દબાણ અનુભવે છે. એવામાં ઠંડા પાણી કે ગરમ પાણીથી નહાવું જોખમકારક હોઇ શકે.

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, હુંફાળુ પાણી આપણા શરીરને અચાનક ઝાડકો નથી આપતું અને તે શરીરના તાપમાનને બનાવી રાખે છે. વાસ્તવમાં હુંફાળુ પાણી શરીરના તાપમાનને વધારે છે અને બ્લડ સર્ક્યુલેશનને પ્રોત્સાહન આપે છે.

શિયાળામાં જ્યારે આપણે ઠંડા પાણીના સંપર્કમાં આવીએ છીએ તો આખુ શરીર કંપી ઉઠે છે. મોહાલી સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. કરૂણ બહલ કહે છે કે, જ્યારે આપણે ઠંડા પાણીના સંપર્કમાં આવીએ છીએ તો આપણું શરીર એ રીતે પ્રતિક્રિયા આપે છે કે જે રીતે કોઇ ઇમરજન્સી છે. બ્લડ સર્ક્યુલેશન ઝડપી ઝઇ જાય છે અને આપણું હ્દય પણ અન્ય અંગોની સુરક્ષા માટે ઝડપથી રક્તને પંપ કરવા લાગે છે. એ રીતે આપાતકાલીન સમયમાં હ્રદય ત્વચા પાસે બ્લડનું સર્ક્યુલેશન રોકાઇ જાય છે જેનાથી આપણે કાંપવા લાગીએ છીએ અને જ્યારે આપણે કાંપવા લાગીએ છીએ હ્રદય પર વધુ દબાણ પડે છે.

જ્યારે, અમુક રીસર્ચમાં એ ખુલાસો પણ થયો છે કે, શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી મેટાબોલિઝમ, રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને કેટલાક ફિટનેસ પ્રિય લોકો શિયાળામાં ઠંડા પાણીથી નહાય છે પણ એ વાત ભૂલી જાય છે કે, એ રીતના પરિક્ષણોમાં સંપૂર્ણ રીતે ફિટ લોકો શામેલ થાય છે કે, જેમને કોઇ પ્રકારની બિમારી નથી હોતી.

ડો. બહલ કહે છે કે, જ્યારે તમે ઠંડા પાણીથી નહાઓ છો, ત્યારે તમારા હ્રદય પર તણાવ પડે છે. તેથી આપણા હ્રદયના ધબકારા અનિયમિત થઇ જાય છે અને આપણને હાર્ટ એટેક આવી શકે છે. એ રીતે ઠંડીના દિવસોમાં અચાનક ગરમ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરમાં ઝડપથી ઘટાડો આવી શકે છે. જેનાથી હ્રદય પર તણાવ પડી શકે છે. તેથી શિયાળામાં નહાવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઇએ. નહાવાની શરૂઆત પોતાના પગને ધોવાથી કરો અને નહાવાના તુરંત બાદ શરીર પર ટોવેલ લપેટો.

ડો. બહલ કહે છે કે, શિયાળામાં હાર્ટ એટેકના જોખમને ઓછું કરવા માટે હલકુ ભોજન લેવું જોઇએ, પર્યાપ્ત ઉની કપડા પહેરવા જોઇએ. વ્યાયામ કરવો જોઇએ અને જો કોઇ પ્રકારની બિમારી છે તો નિયમિત દવા લેવી જોઇએ. ક્યારે ક્યારે એવી સીઝનમાં હાઇ બ્લડપ્રેશરના દર્દીઓને દવાના વધારે ડોઝની જરૂર પડે છે. તેથી હ્રદય રોગ નિષ્ણાંતની નિયમિત સલાહ લો.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.