મેદો કેમ કહેવામાં આવે છે સફેદ ઝેર, તેને કેમ ન ખાવો જોઇએ?

આજકાલ મોટી સંખ્યામાં લોકો નૂડલ પિત્ઝા, સમોસા, નાન અને મોમોઝના રૂપમાં મેદાનું સેવન કરી રહ્યા છે. મોટા ભાગે સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બનાવવા માટે મેદાનો જ ઉપયોગ કરવામાં આવે છે. મેદો એક રિફાઇન્ડ લોટ હોય છે, જેને ‘સફેદ ઝેર’ કહેવું ખોટું નહીં હોય. મેદાથી બનેલી વસ્તુ ખાનાર લોકો પણ એ વાતથી વાકેફ છે કે તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે, છતા ખાય છે કેમ કે તેનાથી બનનારી ફૂડ આઇટમ્સ મસાલેદાર સ્વાદિષ્ટ હોય છે એટલે કે લોકો સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દે છે.

પ્રોસેસિંગ દરમિયાન મેદાથી ચોકર ને જર્મ્સ રિમૂવ કરી દેવામાં આવે છે જેના કારણે ત્યાં ઉપસ્થિત વિટામિન, મિનરલ્સ અને ફાઇબર નષ્ટ થઇ જાય છે. મેદામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. તેમાં પ્રોટીનની માત્રા ખૂબ ઓછી હોય છે. માત્ર એટલું જ નહીં, તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ હાઇ હોય છે જેના કારણે ડાયાબિટીસના દર્દી તેનું સેવન કરી શકતા નથી. કેમ કે તે બ્લડ સુગર લેવલને અચાનક વધારી શકે છે. ઘઉંના લોટમાં જેટલા પોષણ હોય છે એટલું પોષણ મેદામાં હોતું નથી.

આજકાલ મેદો ફેક્ટ્રીઓમાં બનાવવામાં આવે છે. વધારે સફેદ રંગ આપવા માટે બેન્જોયલ પેરોક્સાઇડ જેવા હાનિકારક કેમિકલ્સથી મેદાને બ્લીચ કરવામાં આવે છે. એટલું જ નહીં મેદાને વધારે સોફ્ટ બનાવવા માટે એલોક્સન નામનું એક કેમિકલ નાખવામાં આવે છે. જ્યારે તમે એવા મેદાનું સેવન કરો છો તો તે કેમિકલ તમારા શરીરમાં પ્રવેશ કરીને સ્વાસ્થ્યને પૂરી રીતે નુકસાન પહોંચાડે છે. આમ તો મેદાને ડાયજેસ્ટ થવામાં વધારે સમય લાગતો નથી, જો કે, અલગ-અલગ લોકોમાં તેનું ડાયજેશન ટાઇમ અલગ જોવા મળે છે. સાબૂત અનાજ કે હાઇ ફાઇબરવાળા ફૂડ આઇટમ્સની તુલનામાં મેદો જલદી પચી જાય છે. મેદાને ડાયજેસ્ટ થવામાં લગભગ 2-4 કલાક લાગે છે.

શું છે નુકસાન?

મેદાને માનવ સ્વાસ્થ્ય માટે જરાય ફાયદાકારક માનવામાં આવતો નથી. એવું એટલે કેમ કે તેને ખાવાથી શરીરને પોષણ મળતું નથી. તેનો સીધો પ્રભાવ ઇમ્યુનિટી પર પડે છે અને જો ઇમ્યુનિટી નબળી થઇ ગઇ તો શરીર ઘણી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ વધારે મેદો ખાવાથી મગજ પર ખરાબ અસર પડે છે. વિચારવા અને સમજવાની કેપિસિટી નબળી પડવા લાગે છે. ભવિષ્યમાં ડિમેન્શિયાની બીમારી થઇ શકે છે. હાડકાં નબળા થવા લાગે છે. જો તમે વધારે માત્રામાં મેદાનું સેવન કરો છો તો આગળ જઇને તમને હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મોટાપા અને હૃદય સંબંધિત બીમારી થઇ શકે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.