તમે એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન જમો છો, તો જાણી લો શું નુકશાન થાય છે

પહેલા લોકો માટીના વાસણમાં જમવાનું બનાવતા હતા પરંતુ જેમ-જેમ સમય બદલાતો ગયો તેમ-તેમ લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. લોકો અલગ-અગલ ધાતુથી બનેલા વાસણોમાં ભોજન બનાવે છે. ઘણા લોકોના ઘરે સ્ટીલના વાસણ હોય છે, તો કેટલાક લોકોના ઘરે કાંસાના કે, પિત્તળના વાસણ હોય છે પરંતુ મોટા ભાગના લોકોના ઘરમાં વધારે એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન બને છે. લોકો વધારે પ્રમાણમાં એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ એટલા માટે કરી રહ્યા છે કે, એલ્યુમિનિયમ ઉષ્માનું સારું વાહક છે અને તે અન્ય ધાતુના વાસણોની સરખામણીમાં ટકાઉ અને સસ્તા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવા અને જમવાના કારણે તમારી હેલ્થને નુકશાન થઇ શકે છે.

રિપોર્ટ અનુસાર એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવામાં આવે અને તે ભોજન પ્રતિદિન લેવામાં આવે તો હેલ્થ પર તેની ખરાબ અસર થઇ શકે છે. આ કહેવાનું કારણ એ છે કે, એલ્યુમિનિયમના વાસણમાં બનતા ભોજનથી વ્યક્તિના શરીરમાં પ્રતિદિન 4થી 5 ML જેટલુ એલ્યુમિનિયમ જાય છે પરંતુ મનુષ્યનું શરીર પ્રતિદિન આટલા ML એલ્યુમિનિયમ બહાર કાઢવા માટે સક્ષમ નથી. ઘણી વાર તમે જોયું હશે તો એલ્યુમિનિયમના વસાણમાં બનતા ભોજનો રંગ થોડો બદલાઈ જાય છે. લોકો સસ્તા અને થોડા વધારે ટકતા વાસણ તરીકે એલ્યુમિનિયમના વાસણોની વધારે પ્રમાણે ખરીદી કરતા હોય છે પરંતુ લોકોએ સસ્તા અને ટકાઉ વાસણને લઇને તેમના સ્વસ્થ્યને જ નુકશાન કરી બેસતા બેસતા હોય છે. એલ્યુમિનિયમ શરીરમાં જવાના કારણે વ્યક્તિને નુકશાન થયા છે અને જેના કારણે શરીરમાં કેટલીક બીમારી પણ આવી શકે છે.

શરીરમાં એલ્યુમિનિયમ જવાના કારણે રીયેક્શન થાય છે. મોટા ભાગે એસીડીક પદાર્થો સાથે એલ્યુમિનિયમ શરીરમાં જાય છે અને ત્યારબાદ તે માંસપેશી, કિડની, લીવર અને હાડકામાં જમાં થાય છે. જેના કારણે કેટલીક બીમારી ઉત્પન થાય છે. એલ્યુમિનિયમના પાત્રોમાં બનાવેલું પ્રતિદિન જમવાથી ડીપ્રેશન, યાદશક્તિ નબળી થવી, મોઢામાં છાલા પડવા, દમ થવો, એપેન્ડિક્સ, કિડની ફેઈલ થવી, અલ્ઝાઈમર, આંખોની સમસ્યા અને ડાયેરિયા જેવી બીમારીઓ થઇ શકે છે. આ બીમારીઓથી બચવા માટે લોકોએ માટી અથવા તો લોખંડના વાસણોમાં જ ભોજન બનાવીને જમવું જોઈએ.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.