Nipah Virus: જાણો કેવી રીતે ફેલાય છે, શું છે લક્ષણો અને કેવી રીતે કરી શકાય બચાવ?

કેરળના કોઝીકોડ અને માલાપુરમ જિલ્લામાં Nipah Virusના કારણે 2 અઠવાડિયામાં 11 લોકોના મૃત્યુની ખબરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પૂણે વિરોલોજી ઇન્સ્ટીટયુટે બે બ્લડ સેમ્પલની તપાસ કર્યા પછી તેમાં Nipah Virus હોવાની વાત કહી છે. કેરળના કોઝીકોડ જિલ્લામાં Nipah Virusથી ત્રણ લોકોના મૃત્યુ બાબતે તપાસ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રચવામાં આવેલી ચિકિત્સકોની એક ઉચ્ચ સ્તરીય ટીમને ત્યાં મોકલવામાં આવી છે. મંત્રાલય દ્વારા નેશનલ સેન્ટર for ડિસીઝ કંટ્રોલ (NCDC)ના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક મલ્ટી ડિસિપ્લીનરી ટીમની રચના કરવામાં આવી છે.

શું છે Nipah Virus (NiV)?

આ એક એવું ઇન્ફેકશન છે જે ફ્રૂટ બેટ્સ મારફતે મનુષ્યો ઉપરાંત જાનવરોને પણ પોતાનો શિકાર બનાવે છે. સૌથી પહેલાં વર્ષ 1998માં પ્રથમવાર મલેશિયાના કાપુંગ સુંગઈ નિફામાં તેના કેસ સામે આવ્યા હતા. આ ઇન્ફેકશન સૌથી પહેલાં ડુક્કરોમાં જોવા મળ્યા હતા પરંતુ પછી આ વાયરસ મનુષ્યો સુધી પણ પહોંચી ગયો. વર્ષ 2004મા બાંગ્લાદેશમાં માણસો પર Nipah Virusનો હુમલો શરુ થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ Nipah Virus ખજૂરની ખેતી કરતા લોકો ફ્રૂટ બેટ્સના શિકાર બની જાય છે. આ વાયરસ ચેપી હોવાથી તે એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં જલદી ફેલાય છે. Nipah Virusથી શરૂઆતમાં પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ સાથે ઇન્સેફ્લાઈટીસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિની ઇન્ટેન્સીવ સપોર્ટ કેર મારફતે સંભાળ લેવામાં આવે છે.

Nipah Virusના લક્ષણ:

તેનાથી પીડિત લોકોના બ્રેઈનમાં સોજો આવી જાય છે. તાવ, માથું દુખવું, ઊલટી થવી અને ચક્કર આવવા પણ આ ઇન્ફેક્શનના લક્ષણ છે. આ વાયરસથી પીડિત વ્યક્તિ કોમમાં પણ જઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ઇન્ફેકશન એટલું ખતરનાક છે કે તેનાથી પીડિત વ્યક્તિ 24થી 28 કલાકમાં કોમામાં પહોંચી શકે છે.

Nipah Virusથી કેવી રીતે બચી શકાય?

આ વાયરસથી બચવા માટે રિબાવાયરીન નામની દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે તેથી ઇન્ફેકશનવાળા વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો જોઈએ.

About The Author

Related Posts

Top News

રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

નેશનલ હેરાલ્ડ અખબારને કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર તરફથી અન્ય કોઈપણ રાષ્ટ્રીય દૈનિક અખબાર કરતાં વધુ જાહેરાત ભંડોળ મળ્યું હતું...
National 
રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો

મહારાષ્ટ્રના રાજકારણમાં એક ગજબનો ખેલ જોવા મળ્યો. ક્યાંક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન બનાવ્યું, તો ક્યાંક ઓવૈસીએ ભાજપ સાથે...
Politics 
શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો

આવું કેવું? 7 કરોડનો ડાંગર ઉંદરો અને ઉધઈ કેવી રીતે ખાઈ ગયા?

છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક સ્ટોરેજ સેન્ટરમાંથી 7 કરોડ રૂપિયાના ડાંગર ગાયબ થઇ ગયા છે. અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે...
National 
આવું કેવું? 7 કરોડનો ડાંગર ઉંદરો અને ઉધઈ કેવી રીતે ખાઈ ગયા?

ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...

ગુજરાતમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના જ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને...
Governance 
ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.