Nipah Virus: જાણો કેવી રીતે ફેલાય છે, શું છે લક્ષણો અને કેવી રીતે કરી શકાય બચાવ?

કેરળના કોઝીકોડ અને માલાપુરમ જિલ્લામાં Nipah Virusના કારણે 2 અઠવાડિયામાં 11 લોકોના મૃત્યુની ખબરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પૂણે વિરોલોજી ઇન્સ્ટીટયુટે બે બ્લડ સેમ્પલની તપાસ કર્યા પછી તેમાં Nipah Virus હોવાની વાત કહી છે. કેરળના કોઝીકોડ જિલ્લામાં Nipah Virusથી ત્રણ લોકોના મૃત્યુ બાબતે તપાસ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રચવામાં આવેલી ચિકિત્સકોની એક ઉચ્ચ સ્તરીય ટીમને ત્યાં મોકલવામાં આવી છે. મંત્રાલય દ્વારા નેશનલ સેન્ટર for ડિસીઝ કંટ્રોલ (NCDC)ના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક મલ્ટી ડિસિપ્લીનરી ટીમની રચના કરવામાં આવી છે.

શું છે Nipah Virus (NiV)?

આ એક એવું ઇન્ફેકશન છે જે ફ્રૂટ બેટ્સ મારફતે મનુષ્યો ઉપરાંત જાનવરોને પણ પોતાનો શિકાર બનાવે છે. સૌથી પહેલાં વર્ષ 1998માં પ્રથમવાર મલેશિયાના કાપુંગ સુંગઈ નિફામાં તેના કેસ સામે આવ્યા હતા. આ ઇન્ફેકશન સૌથી પહેલાં ડુક્કરોમાં જોવા મળ્યા હતા પરંતુ પછી આ વાયરસ મનુષ્યો સુધી પણ પહોંચી ગયો. વર્ષ 2004મા બાંગ્લાદેશમાં માણસો પર Nipah Virusનો હુમલો શરુ થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ Nipah Virus ખજૂરની ખેતી કરતા લોકો ફ્રૂટ બેટ્સના શિકાર બની જાય છે. આ વાયરસ ચેપી હોવાથી તે એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં જલદી ફેલાય છે. Nipah Virusથી શરૂઆતમાં પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ સાથે ઇન્સેફ્લાઈટીસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિની ઇન્ટેન્સીવ સપોર્ટ કેર મારફતે સંભાળ લેવામાં આવે છે.

Nipah Virusના લક્ષણ:

તેનાથી પીડિત લોકોના બ્રેઈનમાં સોજો આવી જાય છે. તાવ, માથું દુખવું, ઊલટી થવી અને ચક્કર આવવા પણ આ ઇન્ફેક્શનના લક્ષણ છે. આ વાયરસથી પીડિત વ્યક્તિ કોમમાં પણ જઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ઇન્ફેકશન એટલું ખતરનાક છે કે તેનાથી પીડિત વ્યક્તિ 24થી 28 કલાકમાં કોમામાં પહોંચી શકે છે.

Nipah Virusથી કેવી રીતે બચી શકાય?

આ વાયરસથી બચવા માટે રિબાવાયરીન નામની દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે તેથી ઇન્ફેકશનવાળા વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો જોઈએ.

About The Author

Related Posts

Top News

RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફ્લોટિંગ રેટ લોન મેળવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય બેંકે...
Business 
RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

તેલંગાણાના CM રેવંત રેડ્ડી હાલમાં યુરોપના પ્રવાસ પર છે. સરકારે તેમને અમેરિકા જવાની પરવાનગી નકારી કાઢતાં તેમનો કાર્યક્રમ ચર્ચાનો વિષય...
National 
CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

ગુજરાતના વલસાડ જિલ્લામાં ચોરીના પ્રયાસ દરમિયાન એક ઘટના બની. જ્વેલરીની દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરનારા બે ચોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું....
Gujarat 
આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

BJPએ દેશના યુવાનો અને 'Gen Z' મતદારો સુધી પહોંચવા માટે એક ખાસ ટીમ બનાવી છે. PM નરેન્દ્ર મોદીના નિર્દેશ...
National 
Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.