Photos: નાંદેડ હોસ્પિટલમાં ડુક્કરો ફરી રહ્યા છે, દર્દીના પરિજનો ઝાડૂ મારે છે

દર્દીઓના પરિજનો રોજનું કામ- બ્રશ કરવું, વાસણ કપડા ધોવાનું કામ કરી રહ્યા છે અને તેમની પાસે જ ડુક્કરો ફરી રહ્યા છે. આ દ્રશ્ય છે મહારાષ્ટ્ર સ્થિત નાંદેડની એ હોસ્પિટલનું જ્યાં 48 કલાકમાં 31 દર્દીઓના મોત થયા છે. નાંદેડની આ હોસ્પિટલમાં થયેલી આ મોતો પછી ચર્ચામાં આવેલા મુદ્દાઓમાં સ્વચ્છતા ન જાળવવાનો મુદ્દો પ્રમુખ રીતે ઉઠ્યો છે. જેની ઝલક બુધવારે જોવા મળી.

ડૉ. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નાળીઓ પ્લાસ્ટિકની બોટલો અને રેપરોથી ભરેલી જોવા મળી. જ્યારે કચરાના ઢગલાઓ પર ડુક્કરો દેખાયા.

હોસ્પિટલમાં દર્દીઓના પરિજનો હંગામો કરી રહ્યા છે. આરોપ છે કે, દવા અને સ્ટાફ પૂરતા પ્રમાણમાં ન હોવાને લીધે દર્દીઓના મોત થઇ રહ્યા છે. 2જી ઓક્ટોબરના રોજ આ મામલો મીડિયા સામે આવ્યો.

રાહુલ નામનો પીડિત મિસ્ત્રીનું કામ કરે છે. તેણે પોતાના બાળકને આ હોસ્પિટલમાં ગુમાવ્યું. તેણે જણાવ્યું કે, શુક્રવારે મારી પત્નીનું બીપી વધી ગયું. શુક્રવારે સવારે 10 વાગ્યે ડીલિવરી થઇ ગઇ. નવજાતને ICU લઇને ગયા. ત્યાર પછી ડૉક્ટરે કહ્યું કે તમારું બાળક જીવિત રહ્યું નથી. બધી દવાઓ બહારથી લાવ્યા હતા. અંદર કશું જ નહોતું. એકપણ દવા મોજૂદ નહોતી. 25 મિનિટમાં 1100 રૂપિયાની દવા લઇને આવ્યા. હજુ પત્નીને જણાવ્યું નથી. દવા અંદરથી લખીને આપી રહ્યા છે અને બહારથી લાવવાનું કહી રહ્યા છે.

અન્ય એક દર્દીના પરિજને કહ્યું કે, સારવાર કરી રહ્યા છે પણ ધીમી ગતિએ. ક્યારેક સ્લાઇન બંધ થઇ ગઇ અને જો નર્સને જાણ કરવામાં આવે છે તો એ કહે છે તમે પોતાના હાથથી બંધ કરી દો અમે થોડીવારમાં આવીએ છીએ. જે ઝાડૂ મારે છે તે પણ કહે છે તે તમે પોતાના બેડની નીચે જાતે જ સફાઇ કરી લો. મેં બે દિવસ જાતે ઝાડૂ લગાવ્યું છે. મારી દીકરીની સ્લાઇન બંધ થઇ ગઇ હતી. મેં જાતે તે લગાવી.

સ્થાનીય પત્રકાર યોગેશ લતકર જણાવે છે કે, સરકારી હોસ્પિટલમાં રેઝિડેન્ટ્સ ડૉક્ટરો પર જવાબદારી છે. તેમના જ ભરોસે આખી હોસ્પિટલ ચાલે છે. સીનિયર ડૉક્ટરોને પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવવામાં વધારે રસ છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.