વધુ બદામ ખાવાના ગેરફાયદા પણ છે, જાણો સાઇડ ઇફેક્ટ્સ

આપણે સૌ જાણીએ જ છીએ કે બદામ ખાવુ એ આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામમાં પ્રોટિન, ફાયબર, ગુડ ફેટ, વિટામિન-A અને મેગ્નેશિયમ જેવી વસ્તુઓ ભરપુર માત્રામાં હોય છે. એ જ કારણ છે કે તેને કોઇ પલાળીને ખાવાનું પસંદ કરે છે તો કોઇ રોસ્ટ કરીને ખાવાનું પસંદ કરે છે. બદામને સૌથી હેલ્ધી નટ્સમાંથી એક માનવામાં આવે છે. કદાચ જ કોઇ વિચારશે કે, બદામ ખાવાથી પણ કોઇ નુકસાન થઇ શકે છે. જો તમે લિમિટથી વધારે બદામ ખાઓ તો એ હેલ્ધી સ્નેકની તમારા શરીર પર સાઇડ ઇફેક્ટ દેખાવા લાગે છે. હવે તમને મનમાં સવાલ ઉઠે કે, આખરે વધારે બદામ ખાવાથી વળી શું નુકસાન થતું હશે? તો ચાલો અમે તમને જણાવી દઇએ કે વધારે પડતી બદામ ખાવાથી શું નુકસાન થાય છે.

આમ તો બદામ ફાયબરથી ભરપુર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ લિમિટ કરતા વધારે બદામ ખાશો તો કબજિયાત, પેટ ફૂલવું અને લૂઝ મોશનની પરેશાની થઇ શકે છે. એવું એટલા માટે કે આપણું શરીર વધારે પડતું ફાયબર પચાવી શકતું નથી. એવામાં જો તમે ફાયબરનું ઇનટેક વધારો, તો તમારે પાણીનો ઇનટેક પણ વધારવો પડશે. તમારા માટે સારામાં સારો રસ્તો એ છે કે તમે બદામના ઓવરડોઝથી બચો.

100 ગ્રામ (અડધો કપ) બદામમાં 25 ગ્રામ વિટામિન-E હોય છે, જ્યારે આપણને દિવસમાં વિટામિનની જરૂર 15 ગ્રામ જ હોય છે. એવામાં તમે જ વિચારી જુઓ કે 1 કપ બદામનું સેવન કરવામાં આવે તો દરરોજ વિટામિન- E જરૂરિયાત કરતા 3 ગણું વધી જશે. એ કારણે તમને કમજોરી અનુભવાશે. તમને ડાયેરિયા કે પછી આંખની પરેશાની થઇ શકે છે અને ઝાંખુ દેખાવાની સમસ્યા ઊભી થઇ શકે છે. 100 ગ્રામ બદામમાં 2.4 ગ્રામ મેગ્નિઝ હોય છે જે તમારા દરરોજની મેગ્નિઝની જરૂરિયાતથી અપર લિમિટવાળો ભાગ છે. બદામ સિવાય ઘણી વસ્તુઓ છે, જેમા મેગ્નિઝ હોય છે. જેમ કે હોલ ગ્રેન, ચા, લીલા શાકભાજીઓ વગેરે. એવામાં શરીરમાં જો મેગ્નિઝની માત્રા વધારે પડતી થઇ જાય તો બ્લડપ્રેશરની દવાઓ, એન્ટિબાયોટિક્સ અને લેક્સેટિવ્સ જેવી દવાઓની અસર ઓછી થવા લાગે છે.

બદામમાં ફેટ અને કેલેરીની માત્રા પણ વધારે હોય છે. 100 ગ્રામ બદામમાં 50 ગ્રામ મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમારા હૃદય માટે ફાયદાકારક છે. જો તમારી લાઇફસ્ટાઇલ એવી છે કે તમને વધારે ફિઝિકલ એક્ટિવિટી નથી કરવી પડતી અને કેલેરી બર્ન થવાનો કોઇ ચાન્સ નથી તો વધારે બદામ ખાવાથી શરીરમાં ફેટ જમાં થવા લાગશે અને તમારું વજન પણ વધવા લાગશે. બદામમાં એક રીતનું પ્રોટીન જોવા મળે છે જેનાથી કેટલાક લોકોને ઓરલ એલર્જી થવાની સંભાવના વધી જાય છે. ઓરલ એલર્જીમાં મોઢા પર ખંજવાળ આવે છે અને ગળા અને હોઠ પર સોજો આવવાની સમસ્યા થઇ શકે છે. 

જો બદામનું સેવન વધારે થઇ જાય અને એલર્જી વધી જાય તો ઉલ્ટી, ચક્કર, લો બીપી અને માથાના દુ:ખાવાની સમસ્યા ઉદ્દભવી શકે છે. FDA એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, દરરોજ એક તૃતિયાંશ એટલે કે લગભગ 40 ગ્રામ (10-15)થી વધારે બદામ ન ખાવી જોઇએ. સાથે જો તમે બદામ પલાડીને ખાઓ તો તેમાં રહેલું ફાયબર પણ પચાવવામાં સહેલું થઇ જશે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.