લાંબો સમય બેસી રહેતા હો તો થઈ જજો સાવધાન, હૃદય નબળુ થવાથી થઈ શકે છે આ મુશ્કેલીઓ

વર્ક ફ્રોમ હોમ અને વધતા વર્ક કલ્ચરના કારણે લોકોમાં એન્જાઈટી, તણાવ અને મેન્ટલ હેલ્થ પર ખૂબ જ પ્રભાવ પડ્યો છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું હાલના સમયમાં લોકોની મજબૂરી બની ગઈ છે. આ મજબૂરીના કારણે ના માત્ર બોડી પોશ્ચર પરંતુ હાર્ટ હેલ્થ પર પણ ખરાબ પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેએએમએ ઓન્કોલોજીના રિસર્ચ અનુસાર, લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે લોકોમાં હાર્ટ પ્રોબ્લેમ અને કેન્સરનું જોખમ 80 ટકા વધી જાય છે. તેમજ એક્ટિવ રહેનારી વ્યક્તિ વધુ સ્વસ્થ અને એનર્જેટિક હોય છે. બેસી રહેવાને કારણે એક નહીં પરંતુ ઘણી હેલ્થ સમસ્યાઓને પ્રોત્સાહન મળે છે. વધુ સમય સુધી બેસી રહેવાથી કયા હેલ્થ ઈશ્યૂઝનો સામનો કરવો પડી શકે છે તે અંગે માહિતી આપી છે.

ઉંમર ઓછી થવી

એક જ જગ્યાએ વધુ સમય સુધી બેસી રહેનારી વ્યક્તિની ઉંમર પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. વેબ એમડી અનુસાર, જો કોઈ વ્યક્તિ દિવસનો મોટાભાગનો સમય બેસી રહેવામાં કાઢતો હોય તો તેની ઉંમર ઓછી થઈ શકે છે. બેસી રહેવાથી હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ ઘેરી બની શકે છે. જે લોકો એક્સરસાઈઝ અને વોકિંગ નથી કરતા તેઓ બીજાઓની સરખામણીમાં ઓછું જીવે છે.

થઈ શકે છે ડિમેન્શિયા

વધુ સમય સુધી બેસી રહેવાને કારણે માનસિક સમસ્યા જેવી કે ડિમેન્શિયા થવાનું જોખમ વધુ વધી જાય છે. સતત સ્ક્રીન જોવા અને વિચારતા રહેવાથી મસ્તિષ્ક પર પ્રભાવ પડે છે. જેના કારણે માનસિક વિકાર થઈ શકે છે. જે વ્યક્તિ બેસી રહેવાની સાથે એક્સરસાઈઝ અને વોક કરે છે તે સ્વસ્થ રહે છે.

ડીવીટીની સમસ્યા

ડીપ વેન થ્રોમ્બોસિસ (ડીવીટી)ની સમસ્યા પગમાં બ્લડ ક્લોટ થવાના કારણે થાય છે. વધુ સમય સુધી પગને લટકાવીને બેસી રહેવાથી અથવા પગમાં ઓછી મુવમેન્ટ થવાથી આ સમસ્યા વધી શકે છે. પગમાં સોજો અને દુઃખાવો તેના સામાન્ય લક્ષણ હોઈ શકે છે. ઘણીવાર ડીવીટીની સમસ્યા એટલી વધી જાય છે કે તે પગથી લંગ્સ સુધી પહોંચી જાય છે. લંગ્સમાં બ્લડ ક્લોટ્સ થઈ જાય છે.

હાર્ટ પ્રોબ્લેમ્સ

એક્ટિવ ના રહેવા અથવા એક જ જગ્યા પર વધુ સમય સુધી બેસી રહેવાને કારણે હાર્ટ પ્રોબ્લેમનું જોખમ વધી શકે છે. બેસી રહેવાથી બોડીમાં બ્લડ સર્કુલેશન ઓછું થાય છે જે હાર્ટ પ્રોબ્લેમ્સનું કારણ બને છે. આ કારણ છે કે, નાની ઉંમરમાં લોકોએ કાર્ડિયાક અરેસ્ટ જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ઊભા રહીને અથવા વોક કરતા-કરતા કામ કરે છે તે લોકો વધુ હેલ્ધી રહે છે.

મેદસ્વિતા વધવી

મેદસ્વિતા વધવાના ઘણા કારણો હોય છે જેમા મહત્ત્વનું છે બેસી રહેવું. બોડીને વધુ સમય સુધી રિલેક્સ રાખવી અથવા મુવમેન્ટ ના કરવી મેદસ્વિતાને પ્રોત્સાહન આપે છે. મોબાઈલ, ટીવી અથવા લેપટોપની સ્ક્રીન લોકોને બેસવા પર મજબૂર કરી દે છે આથી, દર એક કલાક બાદ 10 મિનિટ વોક કરવુ જરૂરી છે. તેનાથી બોડીની સાથે આંખોને પણ આરામ મળે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.