અઠવાડિયાના આ દિવસે લોકોને આવે છે સૌથી વધુ હાર્ટ એટેક, રિસર્ચમાં ખુલાસો

બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટ અને રોયલ કોલેજ ઓફ આયર્લેન્ડ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં હાર્ટ એટેકને લઇને એક અજીબ વાત સામે આવી છે. આ રિસર્ચમાં હાર્ટ એટેક સાથે સંકળાયેલા એક ખાસ દિવસ વિશે જણાવવામાં આવ્યું છે. આ રિસર્ચ અનુસાર, અઠવાડિયાના કોઈ ખાસ દિવસે એટલું વધારે ઇમોશનલ અને પ્રોફેશનલ સ્ટ્રેસ હોય છે કે ઘણા બધા લોકો હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. એટલું જ નહીં, આ સ્ટડી અન્ય પણ ઘણી બધી બાબતો જણાવે છે.

આ સ્ટડી અનુસાર, કોઈ અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે સૌથી વધુ હાર્ટ એટેક આવે છે. બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટ અને આયર્લેન્ડમાં રોયલ કોલેજ ઓફ સર્જન્સના શોધકર્તાઓએ 2013 અને 2018ની વચ્ચે સમગ્ર આયર્લેન્ડમાં 10528 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું, જે સૌથી ગંભીર પ્રકારના હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

તેને એસટી-સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફ્રક્શનના રૂપમાં ઓખળવામાં આવે છે અને એ ત્યારે થાય છે જ્યારે એક પ્રમુખ કોરોનરી ધમની એટલે કે આર્ટરી સંપૂર્ણરીતે બ્લોક થઈ જાય છે. આ તમામ ઘટનાઓ સોમવારે થઈ અને તેના પરથી જાણકારી મળી છે કે, સોમવારનો દિવસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

સોમવારે કામકાજી અઠવાડિયાની શરૂઆત થાય છે. તેમા માનસિક જ નહીં પરંતુ, શારીરિક સ્વાસ્થ્ય પર પણ પ્રેશર રહે છે. મગજમાં તમામ પ્રકારની વસ્તુઓની સાથે સ્ટ્રેસ વધેલું હોય છે અને બીપી વધેલું હોય છે. સાથે જ તેમા કામ પર પાછા જવાનો તણાવ હોય તો ફરી એકવાર વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમત ભેગી કરવી પડે છે. આ શારીરિક અને ભાવનાત્મક તણાવથી એડ્રેનાલાઈન અને કાર્ટિસોલ જેવા હોર્મોનનું પ્રોડક્શન વધી જાય છે, જે હાર્ટ એટેકને ટ્રિગર કરી શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સૌથી ખતરનાક હાર્ટ એટેક સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન (STEMI) હોય છે. તેમજ, શોધમાં એ વાતનો ખુલાસો થયો છે કે, આ હાર્ટ એટેક પણ સોમવારના દિવસે જ વધુ આવે છે. તેને પગલે વ્યક્તિની બોડીની ધમનીઓ બ્લોક થઈ જાય છે, જેને કારણે મગજમાં ઓક્સિજનની સપ્લાઈ અટકી જાય છે. એવામાં પીડિતને હાર્ટમાં સખત દુઃખાવાનો અનુભવ થાય છે, જે તેના મોતનું કારણ બની શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.