રાત્રે 12થી 3 વાગ્યા દરમિયાન જાગનારા થઈ શકે છે આ બીમારીઓનો શિકાર

ઓછી ઊંઘના કારણે લોકોને લાંબા સમય સુધી મુશ્કેલીઓ હેરાન કરી શકે છે. આ મુશ્કેલી તમારા વિચારો કરતા પણ વધુ મોટી હોઈ શકે છે. તમે જો એ લોકોમાંથી હો જે રાત્રે 1થી 3 વાગ્યાની વચ્ચે જાગતા રહેતા હોય અને સવારે 4 વાગ્યાની આસપાસ ઊંઘતા હોય. તો તમારી સ્લીપ સાઇકલ ખૂબ જ ખરાબ હોઈ શકે છે. રાતના સમયે એટલે કે અંધારાની સાથે સેરોટોનિન હોર્મોનનું વધવુ, આ મનને શાંત કરવા અને ઊંઘ તરફ લઈ જવા માટે જાણીતું છે. સાથે જ આ ઈલેક્ટ્રોફિઝિયોલોજિકલ, ન્યૂરોકેમિકલ, જીનેટિક અને ન્યૂરોફાર્માકોલોજિકલ આધાર પર રેપિડ આઈ મુવમેન્ટ જે ઊંઘમાં એક મોટી ભૂમિકા નિભાવે, તેને પ્રભાવિત કરે છે. એવામાં જ્યારે તમે રાત્રે આ દરમિયાન જાગતા હો તો શરીરમાં ઘણા બદલાવ આવે છે જે લાંબા સમયમાં તમને બીમાર કરી શકે છે.

રાત્રે 12થી 3 જાગવાથી સેરોટોનિન હોર્મોન ઓછું થવા માંડે છે. આ સાથે જ ડોપામાઇનની પણ ઉણપ થવા માંડે છે. એવામાં શરીરમાં હોર્મોનલ અસંતુલનની વચ્ચે ચાલ્યુ જાય છે અને મગજ લાંબા સમય સુધી ચાલવા માંડે છે. આ કારણે બ્રેન આરામ નથી કરી શકતું, શરીરના બાકી અંગોને આરામ ના કરવા દે અને શરીર પોતાને ક્લીન અને ડિટોક્સ કરીને રીસ્ટાર્ટ ના કરી શકે. તેનાથી આ બીમારીઓનું જોખમ વધે છે.

રાત્રે 12થી 3 જાગનારા લોકો થઈ શકે છે આ બીમારીઓનો શિકાર

સૌથી વધુ થાય છે એંગ્જાયટી

જે લોકો રાત્રે આ દરમિયાન જાગે છે તેઓ પોતાના શરીરના ફોર્મેટથી ઉલટ જઈને કામ કરે છે. આ એક પ્રકારનું શરીર માટે પ્રેશર છે. તેનાથી હોર્મોનલ અસંતુલન થાય છે જેને કારણે સૌથી વધુ એંગ્જાયટીની સમસ્યા વધી શકે છે. આવા લોકો દુઃખી અને ગુસ્સાવાળા બની શકે છે અને તેમને એંક્જાયટી એટેક આવી શકે છે.

હાઈ બીપીની સમસ્યા

રાત્રે 12થી 3 જાગનારા લોકોને હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. આવા લોકો નાની ઉંમરમાં હાઈ બીપી અને હૃહય સાથે સંકળાયેલી બીમારીઓ થઈ શકે છે. કારણ કે, બોડી વધુ પડતું પ્રેશર સહન કરી રહ્યું હોય છે.

સ્ટ્રોક અને હાર્ટ એટેક

સ્ટ્રોક અને હાર્ટ એટેક બંને એ લોકોમાં સરળતાથી થઈ શકે છે કારણ કે, ઓછી ઊંઘ તમારા હૃદયને બીમાર કરી શકે છે અને તેની અસર તમારા બ્લડ વેસલ્સે ઉઠાવવી પડી શકે છે જે કોઈપણ દિવસ સ્ટ્રોક અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ

ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ, ઓછી ઊંઘ લેનારા લોકોને વધુ થઈ શકે છે. સેરોટોનિનની ઉણપથી હેપ્પી હોર્મોનની ઉણપ થાય છે. તે ઓવરથિંકિંગ અને નેગેટિવ વિચારો તરફ લઈ જઈ શકે છે, જે ઉદાસીનું કારણ બની શકે છે અને તમે ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.