અઠવાડિયામાં 4 દિવસ કામ 3 દિવસ રજા, New Wage Code પર 13 રાજ્યોની સંમતિ

કેન્દ્ર સરકાર 4 શ્રમ કાયદાઓ (New Wage Code) લાગુ કરવા જઇ રહી છે અને આગામી નાણાંકીય વર્ષ સુધીમાં લાગુ થવાની સંભાવના છે. આ કાયદો અમલમાં આવ્યા પછી તમારી ટેક હોમ સેલરી ( ઘરે આવતા પગાર) અને પ્રોવિડન્ટ ફંડ(PF)ના સ્ટ્રકચરમાં બદલાવ થશે. તમારી ટેક હોમ સેલરીમાં ઘટાડો થશે જયારે PFમાં વધારો થશે.

મજૂરી, સામાજિક સુરક્ષા, ઓદ્યોગિક સંબધ અને વેપાર સુરક્ષા તેમજ આરોગ્ય અને કામ કરવાની સ્થિતિ પર 4 શ્રમ કાનૂન આગામી નાણાંકીય વર્ષથી અમલમાં આવી શકે છે. PTIના એ એક સિનિયર અધિકારીનો હવાલો આપીને કહ્યું છે કે  ઓછામાં ઓછા 13 રાજ્યોએ New Wage CodE  ડ્રાફ્ટ તૈયાર કરી દીધા છે. મતલબ કે નવા શ્રમ કાયદાને 13 રાજ્યોએ સંમતિ આપી છે.

નવા શ્રમ કાયદાને કારણે કર્મચારીઓની બેઝિક પગાર અને પ્રોવિડન્ટ ફંડની ગણતરીમાં બદલાવ થશે. નવા વેતન કોડ હેઠળ ભથ્થાં 50 ટકા સુધી મર્યાદિત રહેશે. મતલબ કે કર્મચારીઓના કુલ પગારના 50 ટકા બેઝિક પગાર હશે. પ્રોવિડન્ટ ફંડની ગણતરીમુળભૂત પગારની ટકાવારીના આધારે કરવામાં આવે છે અને  તેમાં મુળ પગાર અને મોંઘવારી ભથ્થા સામેલ હોય છે.

હાલમાં નોકરીદાતાઓ કે માલિકો પગારને વિવિધ ભથ્થાઓમાં વિભાજિત કરે છે, જેને કારણે  મુળભૂત પગાર ઓછો રહે છે અને  PF અને આવકવેરાના યોગદાનમાં ઘટાડો રહે છે. નવા વેતન કોડમાં પ્રોવિડન્ટ ફંડનું યોગદાન કુલ પગારના 50 ટકા નક્કી કરવામાં આવ્યું છે. PFમાં કર્મચારીઓનું યોગદાન વધવાને કારણે કંપનીઓ પર નાણાંકીય બોજ વધશે આની સાથ વધારે બેસિક સેલરીનો મતલબ એ થશે કે ગ્રેચ્યૂટીની રકમ પણ એક થી દોઢ ટકો વધશે.

કેન્દ્રીય લેબર મિનિસ્ટર ભૂપેન્દ્ર યાદવે તાજેતરમાં રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, નવા વેતન કોડના અમલ માટે 13 રાજ્યોએ સંમતિ આપી છે અને 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ તૈયારી કરી રહી છે.

કોઇ પણ કર્મચારીના Cost To Company (CTC).માં 4 કંપોનન્ટ હોય છે. બેઝિક સેલરી, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), પ્રોવિડન્ટ ફંડ (PF), ગ્રેચ્યૂટી, પેન્શન, ટેક્સ બચાવવા માટે LTA, એન્ટરટેઇનમેન્ટ જેવા ભથ્થા. હવે નવા વેતન કોડમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે ભથ્થા કુલ પગારના 50 ટકા કરતા વધારે નહીં હોય શકે. એક ઉદાહરણ તરીકે સમજીએ. ધારો કે કોઇ કર્મચારીનો કુલ પગાર 40,000 રૂપિયા હોય તો તેનો બેઝિક સેલરી નવા વેતન કોડમાં 20,000 રૂપિયા હશે અને બાકીના 20,000 ભથ્થા પેટે ગણાશે.

નવા વેતન કોડમાં એવી ઘણી જોગવાઇઓ કરવામાં આવી છે જેની અસર ઓફીસમાં કામ કરતા નોકરીયાત વર્ગ, મિલો અને ફેકટરીઓમાં કામ કરનારા મજૂર વર્ગ સુધી અસર પડશે. કર્મચારીઓના પગારથી લઇને તેમની રજાઓ અને કામના કલાકોમાં પણ બદલાવ થશે. નવા વેતન કોડમા કામ કરવાનો સમય 12 કલાક થઇ જશે. એક સપ્તાહમાં 48 કલાક કામનો નિયમ જ ચાલુ રહેશે.

હકિકતમાં, કેટલાંક યુનિયનોએ 12 કલાક કામ અને 3 દિવસની રજા પર સવાલ ઉઠાવ્યા હતા, સરકારે એ વાતન સ્પષ્ટતામાં કહ્યું છે કે, સપ્તાહમાં 48 કલાકનો નિયમ યથાવત રહેશે. ધારો કે કોઇ દિવસમાં 8 કલાક કામ કરવા માંગે છે તો એણે 6 દિવસ કામ કરવું પડશે અને 1 જ દિવસની રજા મળશે. સપ્તાહમાં 3 દિવસની છુટ્ટી અને 4 જ દિવસ કામ કરવું હોય તો રોજના 12 કલાક કામ કરવું પડશે. 

About The Author

Related Posts

Top News

જમશેદપુરમાં રોડ વચ્ચે આવેલું મા ભગવતીનું 125 વર્ષ જૂનું મંદિરને હટાવવાના અનેક પ્રયાસો છતા તેના સ્થાનથી હટ્યું નથી

છેલ્લા 125 વર્ષોથી, ટાટાનગર સ્ટેશન રોડની મધ્યમાં આવેલું મા ભગવતી મંદિર, સ્થાનિક રહેવાસીઓ અને દૂર-દૂરથી આવતા ભક્તો માટે...
National 
જમશેદપુરમાં રોડ વચ્ચે આવેલું મા ભગવતીનું 125 વર્ષ જૂનું મંદિરને હટાવવાના અનેક પ્રયાસો છતા તેના સ્થાનથી હટ્યું નથી

IIT-IIM અને લંડનની કરોડોની નોકરી છોડી IAS અધિકારી બનનારા દિવ્યા મિત્તલે શા માટે રાજીનામું આપ્યું?

ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના તેજ અને બહુચર્ચિક IAS અધિકારી દિવ્યા મિત્તલે તેમની 13 વર્ષની વહીવટી સેવાને વિરામ આપતા તેમના...
National 
IIT-IIM અને લંડનની કરોડોની નોકરી છોડી IAS અધિકારી બનનારા દિવ્યા મિત્તલે શા માટે રાજીનામું આપ્યું?

એક્સપાયર્ડ બિસ્કિટ વેચતા દુકાનદારને બચાવી રહ્યો હતો અધિકારી, ભીડે ઘેરીને તેને જ બળજબરીથી ખવડાવ્યા બિસ્કિટ

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક FDA અધિકારી સાથે બનેલી ઘટનાનો વીડિયો જોઇને દરેક હેરાન છે. એક તરફ લોકો ગુસ્સામાં હતા...
એક્સપાયર્ડ બિસ્કિટ વેચતા દુકાનદારને બચાવી રહ્યો હતો અધિકારી, ભીડે ઘેરીને તેને જ બળજબરીથી ખવડાવ્યા બિસ્કિટ

અમેરિકામાં મોહન ભાગવતે કહ્યું- ભારતમાંથી મુસ્લિમોને કાઢવા એ હિંદુત્વ નથી, તમામ માર્ગો ભગવાન તરફ જાય છે...'

મોહન ભાગવતે અમેરિકાના ન્યૂયોર્કમાં 'એક વિશ્વ, એક માનવતા' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે...
National 
અમેરિકામાં મોહન ભાગવતે કહ્યું- ભારતમાંથી મુસ્લિમોને કાઢવા એ હિંદુત્વ નથી, તમામ માર્ગો ભગવાન તરફ જાય છે...'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.