આ કંપનીમાં ગૌતમ અદાણી હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે

પાવર ટ્રેડિંગ કંપની PTC India ગયા એક વર્ષમાં ભારે દબાણથી પસાર થઇ રહી છે.એવામાં હવે ગૌતમ અદાણીની કંપનીએ તેમાં હિસ્સેદારી ખરીદવા માટે રસ દાખવ્યો છે. અદાણીની સાથે જ તેને ખરીદવા માટે કેટલીક કંપનીઓ પણ વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની બોલી આ મહિનાના અંત સુધીમાં થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ તેને ખરીદવા માટે એક મોટો દાવ લગાવી શકે છે.

રાજ્યના સ્વામીત્વ વાળી સંસ્થાઓ NTPC લિમિટેડ, NHPC લિમિટેડ, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની PTC Indiaની પ્રમોટર્સ કંપનીઓ છે અને પ્રત્યેક 4 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ કંપનીઓ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી નથી આવી.

જ્યારે, PTC Indiaના પ્રતિનિધિએ પ્રમોટરોની હિસ્સેદારી વેચવાની એવી કોઇપણ જવાબદારી નથી આપવામાં આવી. જો અદાણી ગ્રુપ આ કંપનીમાં હિસ્સેદારી ખરીદે છે તો ભારતમાં અદાણી સમૂહની એનર્જી સેક્ટરમાં અને મજબૂતી હશે. અદાણી ગ્રૂપ કોલ માઇનિંગ અને ટ્રેડિંગ બિઝનેસ અને એનર્જી સેક્ટરમાં દબદબો ધરાવે છે અને કંપની ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના કારોબારમાં પણ સક્રિય છે.

અદાણી ગ્રુપે તે વિશેના મેલને લઇને જાણકારી નથી આપી. જોકે, કંપનીના પ્રતિનિધિએ કહ્યું કે, ગ્રુપ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. તે સિવાય, પ્રમોટર્સ કંપનીઓના પ્રવક્તા તરફથી પણ કોઇ ટિપ્પણી નથી કરવામાં આવી.

PTC Indiaના શેર 12 મહિનાથી 23.1 ટકા તુટી ચૂક્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેનું માર્કેટ વેલ્યુ 301 મિલિયન ડોલરની નજીક છે. PTC Indiaને 1999માં એક સાર્વજનિક પ્રાઇવેટ ભાગીદારીના રૂપમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેને પાવર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં વે છે. વેબસાઇટ અનુસાર, 2001માં ઉર્જાનો વેપાર શરૂ કર્યો હતો. તેની હિસ્સેદારી ભારતીય બજારમાં સૌથી મોટી છે અને તેના ગ્રાહકોમાં ભારતના દરેક રાજ્ય ઉપયોગિતાઓ સાથે સાથે અમુક પડોસી દેશોમાં પણ શામેલ છે.

ગૌતમ અદાણી પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવામાં ખૂબ જ એગ્રેસિવ નજરે પડી રહ્યા છે. તેઓ પોતાના પોર્ટફોલિયોમાં ઘણી બધી કંપનીઓ જોડી રહ્યા છે અને અલગ અલગ સેક્ટરમાં પગ પેંસારો કરી રહ્યા છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.