ગૂગલમાંથી કાઢવામાં આવેલા 12000 કર્મચારીઓને શું આપી રહી છે કંપની

વિશ્વભરની કેટલીક સારી કંપનીઓમાં મોટા પાયા પર ચાલી રહેલા લેઓફના આંચ હવે સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલ સુધી પણ પહોંચી ગઇ છે. ગુલલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પોતાને ત્યાં કામ કરનારી લગભગ 6 ટકા એટલે કે, 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનું ફરમાન સંભળાવ્યું છે. જોકે, નોકરીથી હાથ ધોઇ ચૂકેલા કર્મચારીઓને ગુગલ તરફથી અમુક સુવિધાઓ અને વળતર પણ આપવામાં આવશે.

ગુગલના CEO સુંદર પિચાઇએ કર્મચારીઓને મોકલેલા એક મેલમાં લેઓફની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, કાઢવામાં આવેલા કર્મચારીઓની મદદ કરવામાં આવશે કારણ કે, કર્મચારીઓ આગામી નોકરીની તલાશ કરી રહ્યા છે. સુંદર પિચાઇએ એ પણ કહ્યું કે, જે મુદ્દાઓના કારણે અમે આ નિર્ણય લઇ રહ્યા છીએ એ વાતની જવાબદારી હું લઉં છું. ગુગલે કાઢી મૂકેલા કર્મચારીઓને 16 સપ્તાહોની સેલેરી અને બે સપ્તાહોનું વળતર આપવાનું એલાન કર્યું છે. તેમની સાથે જ કંપનીએ 16 સપ્તાહોના ગુગલ સ્ટોક યુનિટમાં પણ ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે.

સુંદર પિચાઇ અનુસાર, કંપની આખા નોટિસ પીરિયડ માટે પણ અમેરિકામાં કર્મચારીઓને ચૂકવણી કરશે. નોકરીમાંથી કાઢીમૂકવામાં આવેલા લોકોએ ગુગલ વર્ષ 2022નું બોનસ, રજા, છ મહિના માટે હેલ્થ કેર, ઇમીગ્રેશન સપોર્ટ અને જોબ પ્લેસમેન્ટમાં સહાયતા જેવી સુવિધાઓ પણ આપશે. તે સિવાય અમેરિકાથી બહારના કર્મચારીઓ પણ ગુગલ લોકલ કાયદાના હિસાબે સહાયતા ઉપલબ્ધ કરાવશે.

ગુગલના CEO સુંદર પિચાઇએ ગયા વર્ષે જ કહી દીધું હતું કે, ગુગલ પોતાના ખર્ચા પર અંકુલ લગાવશે. જ્યારે, ચીફ ફાઇનાન્શિયલ ઓફીસર રૂથ પોરાટનું કહેવું હતું કે, નવી નોકરીઓની સંખ્યા ગઇ અવધિની સરખામણીમાં અડધાથી પણ ઓછી થઇ જશે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પોતાના રેવન્યુ અને અર્નિંગ વિશે કહ્યું હતું કે, જે આશાથી ઓછો રહ્યો હતો. ગુગલના પ્રોફિટમાં પણ ઘટાડો આવ્યો છે. ગુગલનો પ્રોફિટ ઘટીને 13.9 બિલિયન ડોલર થઇ ગયો છે.

ગુગલ સિવાય હવે માઇક્રોસોફ્ટે પણ કહ્યું કે, તે પોતાને ત્યાંથી 10000 કર્મચારીઓને નોકરી પરથી કાઢશે. ગુગલ દ્વારા કરવામાં આવી રહેલું લેઓફ તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવામાં આવશે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પોતાના રેવન્યુ અને અર્નિંગ વિશે કહ્યું હતું. જે, આશા કરતા ઓછું રહ્યું હતું. ગુગલના પ્રોફિટમાં ઘટાડો આવ્યો છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.