અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, હવે મેટ્રોના સમયમાં આ ફેરફાર કરાયો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેને કારણે અમદાવાદીઓમાં ખુશીની લહેર છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કંપનીને અમદાવાદ મેટ્રો ફેસ-1નું સમય પત્રક જે હાલમાં સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે તે બદલવા માટે રજૂઆતો મળી હતી. જેને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. જો કે આ નિર્ણય હંગામી ધોરણે લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો મુસાફરોની સંખ્યા વધશે તો આ નિર્ણય કાયમી થઇ શકે છે. આ નિર્ણયને કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બર 2022ના દિવસે અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ફેઝ વન મેટ્રો રેલનું લીલીઝંડી બતાવીને ઉદઘાટન કર્યુ હતું. અત્યારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 18 ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.જ્યારે ઉત્તર અને દક્ષિણમાં 25 ટ્રેનો દોડી રહી છે.

હાલમાં પૂર્વથી પશ્ચિમ રૂટ સ્ટેશન પર દર 18 મિનિટમાં મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી મળે છે. તો ઉત્તર-પશ્ચિમ રુટ પર 25 મિનિટે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી છે. જો કે હવે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી ઓછી કરવા પર એટલે કે 18 કે 25 મિનિટના સ્થાને 15 મિનિટમાં જ મેટ્રો ટ્રેન મળી રહે તે માટે વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં આ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી રહ્યા છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. 30 જાન્યુઆરીથી  અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે

અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન દોડી રહી છે તેનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. પૂર્વ પશ્ચિમ કોરિડોર 21.16 કિ.મીનો છે જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે. જેમાં 18 સ્ટેશનો આવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.