1400 કરોડની ઓફર નકારી, ભારતમાં પ્લાસ્ટિકના કચરાથી બનાવ્યા રસ્તા

કચરાના રૂપમાં આપણી આસપાસ મોજૂદ પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું નુક્સાનદાયી છે એ કોઇનાથી છુપુ નથી. એજ કારણ છે કે દુનિયામાં દરેક સ્તરે એવી કોશિશ કરવામાં આવી રહી છે કે પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરવામાં આવે, જેથી ફરી તેનો ઉપયોગ કરી શકાય. આ દિશામાં મદુરાઇના એક પ્રોફેસરે વર્ષો સુધી કામ કર્યું અને પ્લાસ્ટિક વેઇસ્ટમાંથી રસ્તાઓ બનાવવાનો આઇડ્યા આખી દુનિયાને આપી દીધો. જેને લોકો પ્લાસ્ટિક મેન ઓફ ઈન્ડિયાના નામથી પણ જાણે છે. આ પ્રખ્યાત વ્યક્તિને ભારત સરકારે તેમના કામ માટે પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા છે.

પ્લાસ્ટિકના કચરામાંથી રસ્તા બનાવનાર આ પ્રોફેસરનું નામ છે રાજગોપાલન વાસુદેવન. જે મદુરાઈની એક કોલેજના કેમેસ્ટ્રી પ્રોફેસર છે. 2002માં તેમણે થિએગરાજાર કોલેજના પરિસરમાં પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવ્યો હતો. લગભગ 10 વર્ષની મહેનત પછી તેમની આ ટેક્નિકને માન્યતા મળી.

તેમના આ આઈડિયા વિશે જ્યારે દુનિયાને જાણ થઇ તો વાસુદેવનનો આ આઈડિયા ખરીદવાની કોશિશ થઇ. પણ તેમણે કોઇપણ રીતના પૈસા વિના આ ટેક્નિક ભારત સરકારને સોપ્યો. જેની મદદથી હજારો કિમી સુધીના રસ્તા બનાવાયા છે.

અમેરિકાની 1400 કરોડની ઓફર નકારી

તેમની આ ટેક્નિક ખરીદવા માટે અમેરિકાએ વાસુદેવનને 1400 કરોડ રૂપિયા ઓફર કર્યા હતા. પણ તેમણે આ ઓફર નકારી અને આ આઈડિયા અને ઈનોવેશન વાસુદેવને ભારત સરકારને ફ્રીમાં આપી દીધું.

તેમના આ આઈડિયાથી પ્રેરિત થઇને માર્ગ પરિવહન મંત્રાલયે એક મિશન શરૂ કર્યું. જેના હેઠળ પ્લાસ્ટિકના કચરાના મેનેજમેન્ટ માટે દેશમાં 26 હજાર લોકોને અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા. ભારતમાં પહેલાથી જ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનેલ લગભગ 100000 કિમીના રસ્તા મોજૂદ છે.

આખી દુનિયા કરે છે આ ટેક્નિકનો ઉપયોગ

ભારત જ નહીં બલ્કે દુનિયાભર તેમની આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ઈન્ડોનેશિયાના બાલી, સર્બિયા, બેકાસી, મકસાર સહિત ઘણી જગ્યાએ પ્લાસ્ટિક-ડામર મિશ્રણનો ઉપયોગ કરીને રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.

નેધરલેન્ડમાં સાઇકલ ચલાવનારાઓ માટે ડચ કંપની વર્કર સેલ દ્વારા પ્લાસ્ટિકના રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કડીમાં યૂકે જાહેર કરી ચૂક્યું છે કે તે પ્લાસ્ટિક રોડ ટેક્નિકના પરીક્ષણ માટે 1.6 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.