ફરી હાર્ટ એટેકથી 2 લોકોએ જીવ ગુમાવ્યો. એક 38 વર્ષનો બીજા 53 વર્ષના

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી હાર્ટ એટેકનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો.નવરાત્રિના તહેવારમાં માત્ર 3 દિવસમાં 10 લોકોના મોત થયા હતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે ચિંતા વધેલી છે. હજુ હાર્ટ એટેકને કારણે 2 લોકોના મોત થયા છે.તાજેતરમાં આનંદી બેન પટેલના નિવેદન પછી ગુજરાત સરકાર સફાળી જાગી હતી.

છેલ્લાં આઠેક મહિનાથી આપણને ગુજરાતમા જોવા મળી રહ્યું છે કે પહેલાં ક્રિક્રેટ રમતા રમતા કે પ્રેકટીસ કરતી વખતે અથવા વરઘોડામાં નાચતી વખતે યુવાનોના મોતના સમાચારો આવી રહ્યા હતા. એ પછી નવરાત્રીના સમયે પ્રેકટિસ કરતી વખતે અને ગરબા રમતી વખતે યુવાનો હાર્ટ એટેકને કારણે ઢળી પડતા હોવાની વાત સામે આવી હતી.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં રહેતો 38 વર્ષનો યુવાન ફળિયામા જ અચાનક ઢળી પડ્યો હતો. તો બીજી તરફ ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા એક 53 વર્ષના પ્રોઢનું પણ મોત થયુ છે.

નવા થોરાળા વિસ્તારમાં રહેતા 38 વર્ષના ગુણવંતભાઇ ચાવડા બરફના કારખાનમાં કામ કરતા હતા અને તેમને બે ભાઇ અને એક બહેન છે જેમાં ગુણવત સૌથી મોટો હતો.

ગોવિંદ નગરમાં રહેતા પરસોતમભાઇ જાદવ અચાનક ઢળી પડ્યા હતા, તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ સેન્ટીંગનું કામ કરતા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન પટેલ તાજેતરમાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે, મેં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતુ કે કોરાનાને કારણે કે વેક્સીનને કારણે હાર્ટ એટેકના બનાવો બનતા નથી. એ પછી આનંદીબેન પટેલ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે તેનું રિસર્ચ કરાવવું જોઇએ.

એ પછી આરોગ્ય મંત્રીએ હદયરોગના નિષ્ણાત તબીબો સાથે એક બેઠક કરી હતી અને તેમની સાથે હાર્ટ એટેક વિશે ચર્ચા કરી હતી. ગુજરાતના તબીબોનું કહેવું છે કે, કોરાના પહેલાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવો બનતા જ હતા, પરંતુ ત્યારે નોંધ નહોતી લેવાતી, હવે એક મોત થાય છે તો પણ નોંધ લેવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે જંકફુડ અને બદલાયેલી જીવન શૈલીને કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધેલું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.