NMCનો મોટો નિર્ણય, જે ડૉક્ટર્સ જેનેરિક દવાઓ નહીં લખશે, તેમના લાયસન્સ રદ થશે

NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે જે દેશના તબીબોની ઉંઘ હરામ કરી શકે છે.NMC દ્રારા જારી કરવામાં આવેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, બધા તબીબોએ જેનેરિક દવાઓ લખવી પડશે, એમ  નહીં કરનારા તબીબોને સજા કરવામાં આવશે અને તેમનું લાયસન્સ પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. NMCએ ડૉક્ટર્સને બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહ્યું છે.

નેશનલ મેડિકલ કમિસનના 2 ઓગસ્ટના નોટિફિકેશષનમાં  કહેવામાં આવ્યું  છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્યસંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે.

તબીબોએ અત્યારે માત્ર જેનેરિક દવાઓ લખવાની આવશ્યકતા હોય છે. પરંતુ Medical Council of India (MCI) દ્રારા 2002માં બનાવવામાં આવેલા નિયમોમાં કોઇ સજાની જોગવાઇનો ઉલ્લેખ કરવામાં નહોતા આવ્યો. નેશનલ મેડિકલ કમિસનના 2 ઓગસ્ટના નોટિફિકેશનમાં  કહેવામાં આવ્યું  છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્યસંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે.

NMCના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે. એટલા જેનેરિક દવાઓ લખવાથી આરોગ્ય સારવારનો ખર્ચ ઘટશે.

બ્રાન્ડેડ જેનરિક દવા એવી છે જે પેટન્ટમાંથી બહાર નીકળી ગઈ છે અને તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થાય છે અને વિવિધ કંપનીઓના બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ આવૃત્તિઓ કરતાં ઓછી ખર્ચાળ હોઈ શકે છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓની કિંમતો પર ઓછું નિયમનકારી નિયંત્રણ છે.

નવા નિયમોમાં કહેવામા આવ્યુ  છે કે દરેક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટિશનર (RMP)એ સ્પષ્ટ રીતે લખેલા જેનેરિક નામોનો ઉપયોગ કરીને દવા લખવી જોઇએ.

જો કોઈ નિયમનું ઉલ્લંઘન થાય છે, તો ડૉક્ટરને નિયમો વિશે વધુ સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી શકે છે અથવા નૈતિકતા, વ્યક્તિગત અને સામાજિક સંબંધો અને વ્યાવસાયિક તાલીમ પર વર્કશોપ અથવા શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સૂચના આપવામાં આવી શકે છે.

બ્રાન્ડેડ દવા અને જેનેરિક દવાઓના તફાવતને જો સામાન્ય ભાષામાં સમજીએ તો જે રસાયણો અને જે ફોર્મ્યુલા દ્રારા દવા બને અને જ્યારે આ દવા મોટી કંપનીઓ તેમનું લેબલ લગાવે એટલે બ્રાન્ડેડ થઇ જાય છે. પરંતુ એ જ દવા સરખી પ્રોસેસ દ્રારા નાની કંપનીઓ બનાવે છે તેને બજારમાં જેનેરિક દવાઓ કહેવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.