દેશી છોકરાના પ્રેમમાં પડી ફિલિપાઇન્સની છોકરી, ભારત આવીને લગ્ન કર્યા

રાજનાદગાંવના યુવકે ફિલિપાઇન્સની એક છોકરી સાથે હિંદુ રીતીરિવાજ સાથે લગ્ન કર્યા. આ લગ્ન રાજનાગાંવમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રાજનાગાંવના મમતા નગરના રહેવાસી ભાવેશ ગાયકવાડે ફિલિપાઇન્સમાં રહેતી છોકરી સાથે રાજનાદગાંવ આવીને લગ્ન કર્યા. ભાવેશની મુલાકાત ફિલિપાઇન્સની છોકરી જિઝેલ સાથે પાંચ વર્ષ પહેલા થઇ હતી. બન્ને ટર્કીની મર્ચન્ટ શિપ પર એક સાથે ટ્રેનિંગ કરી રહ્યા હતા, આ દરમિયાન બન્નેને પ્રેમ થઇ ગયો. ભાવેશે જિઝેલના પરિજનો સાથે વાત કરી અને તેમની સંમતિથી બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ભાવેશે કહ્યું કે, ફિલિપાઇન્સમાં લવ મેરેજને માન્યતા ન હોવાના કારણે બન્નેએ ભારત આવીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

હિંદુ રીતિરીવાજ સાથે થયેલા લગ્નના દરેક રિવાજ કે જેમાં, પીઠી, મેહંદી અને ફેરાને જિઝેલે સંપૂર્ણ રીતે સ્વીકારી. મીડિયા સાથેની વાતચીતમાં દુલ્હન બનેલી જિઝેલે કહ્યું કે, ભાવેશની સાથે તેની મુલાકાત પાંચ વર્ષ પહેલા મર્ચન્ટ નેવી પર થઇ હતી, જ્યાં તે ક્રૂ મેમ્બર હતી. તે ભાવેશને પસંદ કરતી હતી અને તેને ઇન્ડિયા પણ ખૂબ પસંદ હતું. તેણે કહ્યું કે, અહીંનું કલ્ચર અને લગ્નના રીતિરીવાજ તેમના માટે એકદમ નવા હતા, પણ તેને ખૂબ ગમ્યા. તેણે અહીંની પાણીપુરી, મોમોઝ, પાઉભાજી ખૂબ જ પસંદ છે. પણ તેને અહીંનું ખાવાનું સ્પાઇસી લાગે છે. ફિલિપાઇન્સમાં આટલું સ્પાઇસી ખાવાનું નથી ખવાતું.

ભાવેશે વાત કરતા કહ્યું કે, બન્ને એક જ શિપમાં ક્રુ મેમ્બરના રૂપમાં કામ કરી રહ્યા હતા. બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા, ફિલિપાઇન્સમાં જિઝેલનું કહેવું હતું કે, આ લગ્નથી તેના પરિજનો પણ ખૂબ ખુશ છે. જોકે, બન્ને પરિવારોનું કલ્ચર એકદમ અલગ હોવાથી એ લોકોને એકબીજા સાથે અડજસ્ટ થવામાં થોડો સમય લાગી શકે છે.

ભાવેશ અને જિઝેલ કતરની એક મર્ચન્ટ નેવીમાં એક જહાજમાં ક્રૂ મેમ્બર હતા. બન્નેની મુલાકાત અહીં જ થઇ હતી અને મુલાકાત પ્રેમમાં પરિણમી. ભાવેશે જિઝેલના પરિજનો સાથે લગ્નને લઇને વાત કરી તો તેમની તરફથી કોઇ પ્રકારની આનાકાની કરવામાં ન આવી અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ફિલિપાઇન્સમાં લવ મેરેજને માન્યતા નથી આપવામાં આવી તેથી બન્નેએ ભારત આવીને લગ્ન કર્યા. ફિલિપાઇન્સની રહેવાસી જિઝેલ માટે ઇન્ડિયા આવીને લગ્ન કરવાનો અનુભવ સારો રહ્યો. પણ હિંદુ રીતિરિવાજ તેના માટે નવા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.