જો સવારે ઉઠવાની સાથે જ આવે છે ખાંસી! તો તમને આ બીમારીઓ હોઇ શકે છે

જો સવારે ઉઠ્યા પછી તમને ખાંસી આવે છે અને ઘણાં દિવસો સુધી આ સમસ્યા બની રહે છે તો તમારે સારવાર લેવી જોઇએ. સવારે ઉઠ્યા પછી આવનારી ખાંસી ઘણી બીમારીઓનો સંકેત આપે છે. જો આના પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો ધીમે ધીમે સ્થિતિ બગડી શકે છે. આનાથી તમારા ફેફસાં પર પણ ગંભીર અસર પડી શકે છે. ડૉક્ટર પાસેથી જાણો આ ખાંસીના કારણો શું હોય છે.

દિલ્હીના મૂલચંદ હોસ્પિટલના પ્લમોનોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. ભગવાન મંત્રી જણાવે છે કે, ઘણાં લોકોને સવારે ઉઠ્યા પછી જોરમાં ખાંસી આવે છે. પછી સાંજ સુધીમાં આ ખાંસી ઓછી થઇ જાય છે. બદલાતા વાતાવરણમાં આ સમસ્યા વધારે જોવામાં આવે છે. જેમ હવે ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર થવાનું શરૂ થઇ રહ્યું છે, તો અમુક લોકોને આવી પરેશાની થવા લાગશે. આવું થોડા અઠવાડિયા કે પછી ઘણાં મહીનાઓ સુધી પણ થતું રહે છે. પણ લોકો આના પર ધ્યાન આપતા નથી. જેને લીધે મુશ્કેલી વધતી રહે છે. સારવારમાં મોડુ થઇ જાય છે, જે લંગ્સ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

ડૉ.મંત્રી કહે છે કે, આ પ્રકારની પરેશાની ફેફસામાં બેક્ટેરિયા કે કોઇ વાયરસના સંક્રમણને કારણે થાય છે. બદલાતા વાતાવરણમાં આ બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે અને શ્વાસ દ્વારા ફેફસાં સુધી પહોંચી જાય છે. ફેફસા સુધી ઠંડી હવા જવાને લીધે પણ આવું બની શકે છે. ઘણાં કિસ્સાઓમાં પ્રદૂષણ પણ આનું એક મોટું કારણ હોય છે. એવામાં લોકોએ સવારે આવતી ખાંસીને હળવાશમાં લેવી જોઇએ નહીં. જે આ બીમારીઓના લક્ષણ હોઇ શકે છે.

અસ્થમા

એલર્જી કે બેક્ટેરિયાના સંક્રમણના કારણથી અસ્થમાની બીમારી થઇ જાય છે. જેમાં વ્યક્તિને શરૂઆતમાં ખાંસી આવે છે. ઘણાં કેસોમાં સવારના સમયે ખાંસી આવે છે અને રાતે સૂતા સમયે પણ આ સમસ્યા રહે છે. સવારના સમયે ઠંડી હવાને કારણે શ્વસનળીમાં સોજા વધવા લાગે છે. જેને લીધે જોરમાં ખાંસી આવે છે. એવામાં જો કોઇને રોજ સવારે ખાંસી આવવાની સમસ્યા છે તો તેણે તરત ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

બ્રોંકાઇટિસ

પાછલા અમુક વર્ષોમાં બ્રોંકાઇટિસની બીમારીની સમસ્યા ઘણી વધી રહી છે. આ રોગ બાળકોથી લઇ વૃદ્ધોમાં થઇ રહી છે. બ્રોંકાઇટિસ પણ વાયરસના સંક્રમણથી થઇ જાય છે. જેમાં ગળામાં શ્વાસની નળી(બ્રોન્કિયલ ટ્યૂબ)માં સોજા આવી જાય છે. જેને કારણે જોરમાં વારેવારે ખાંસી આવે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.