ગામડાના લોકો કરતા વધુ અનિંદ્રાનો શિકાર બનતા શહેરીજનો, જાણો નિષ્ણાતોના તારણ

ઊંઘ એ માનવ શરીરની મહત્વની આવશ્યકતા છે. શરીરને નિરોગી અને ફિટ રાખવા માટે દરેક લોકોએ 6 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ તેમ તબીબ નિષ્ણાતો પણ સલાહ આપે છે. તેવામાં ગામડાઓના લોકો કરતા શહેરમાં રહેતા લોકો વધુ અનિંદ્રાનો શિકાર બનતા હોવાનું નિષ્ણાંતોના સંશોધનમાં સામે આવ્યું છે. અનિંદ્રાને કારણે શહેરી વિસ્તારમાં અનેક સમસ્યા અને બીમારીઓમાં પણ ઉછાળો આવ્યો છે. પૂરતી ઊંઘ ન લેવાથી ડિપ્રેશનથી માંડીને હ્રદયરોગ સુધીની બીમારીનું જોખમ વધતું હોવાનું સામે આવ્યું છે.

ઓછો સૂર્યપ્રકાશ અનિંદ્રાનું કારણ

સંશોધકોના તારણમાં સામે આવ્યું કે સૂર્યપ્રકાશનો ઓછો સંપર્ક શહેરી લોકોની ઊંઘમાં અડચણ રૂપ બની શકે છે. ઉપરાંત અનિંદ્રા માટે વિટામિન-ડીની ખામી પણ જવાબદાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે વિટામિન-ડી તમામ લોકોમાં અનિંદ્રાનું કારણ હોતું નથી.

વિટામિન-ડીની ઉણપથી ઊંઘની સમસ્યા

નિષ્ણાંતો દ્વારા સ્લીપ ડિસઓર્ડર પર કરવામા આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી મગજના એવા ભાગોમાં હોય છે જ્યાં ઊંઘને નિયંત્રિત કરવામાં આવે છે.આથી વિટામિન-ડીની ઉણપથી ઊંઘની સમસ્યા પેદા થઇ શકે છે. વધુમાં વિટામિન ડીની ખામી હાઈપરથાઈરોડિઝમ, મેટાબોલિક રેટમાં વધારો સહિતની બીમારી ઉભી કરી શકે છે. જે તમામ પરિબળો આડકતરી રીતે ઊંઘને અસર કરે છે.

વિટામિન ડી વાળો ખોરાક લેવો

અનિદ્રાની સમસ્યાને કેવી દૂર કરવા પૂરતો સૂર્યપ્રકાશ લેવો જોઈએ ઉપરાંત સૅલ્મોન, ટુના, મગફળી અને ડેરી ઉત્પાદનો તેમજ માછલીઓમાંથી ભરપૂર માત્રામાં વિટામિન ડી મળી શકે છે આથી તબીબોની સલાહ અનુસાર આવા ખોરાકને સ્થાન આપવું જોઈએ.

અનિદ્રાથી છુટકારો મેળવવા આટલું કરો

નિષ્ણાતોનું માનીએ તો ઊંઘની સમસ્યાથી છૂટકારો મેળવવા વિટામિન ડી ની ખામી દૂર કરવા તેમજ સુવાના ટાઈમ ટેબલમાં સુધારો કરવો જરૂરી છે. જેનાથી ઊંઘની સમસ્યામાંથી રાહત મળી રહે છે. વધુમાં શારીરિક પ્રવૃત્તિ અને શ્રમ વધારવો જોઈએ.તેમજ દિવસમાં ઊંઘવુ ન જોઈએ. કેફીન અને આલ્કોહોલના સેવનથી પણ બચવું જોઈએ.સૂતા પહેલા થોડા અંશે ભોજન કરવાથી પણ સારી એવી ઊંઘ આવી શકે છે. એટલું જ નહીં આહારમાં સ્વસ્થ અને પૌષ્ટિક વસ્તુને સ્થાન આપવાથી પણ અનિંદ્રાની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.