હાર્ટ ઍટેક માટે કોરોના વેક્સિન સહેજ પણ જવાબદાર નથી: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંયે સમયથી હાર્ટએટેકના કેસોમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થઇ રહ્યા છે. લાંબા સમય પછી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હાર્ટએટેક માટે કોરાના વેક્સિન સહેજ પણ જવાબદાર નથી. તેમણે કહ્યું કે હાર્ટએટેક માટે લાઇફ સ્ટાઇલમાં બદલાવ જવાબદાર હોય શકે છે.

છેલ્લાં આઠેક મહિનાથી ગુજરાતમાં હાર્ટએટેકને કારણે અનેક યુવાનોના મોત થઇ રહ્યા છે, ખાસ કરીને નવરાત્રિના તહેવારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક ઇવેન્ટમાં કહ્યુ હતુ કે, દુનિયામાં સૌથી સુરક્ષિત કોવિડ વેક્સિન આપણા દેશની છે. Indian Council of Medical Research (ICMR)એ પણ હાર્ટએટેક પર કરેલા અભ્યાસના એક રિપોર્ટમાં કહ્યું છે કે હાર્ટએટેક માટે કોરાના વેક્સિન જવાબદાર નથી.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, જંકફુડ, લાઇફ સ્ટાઇલમાં જોવા મળી રહેલો બદલાવ અને સ્ટ્રેસફુલ લાઇફ હાર્ટએટેક માટે જવાબદાર હોય શકે છે.

https://khabarchhe.com/uploads/mc_path/1699093620Rushikesh-Patel.jpg

તેમણે કહ્યુ કે હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે એવો હાઉ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોવિડ વેક્સિનને કારણે હાર્ટએટેકના કેસો વધી રહ્યા છે. પરંતુ આ વાતમાં સહેજ પણ તથ્ય નથી. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે, ICMR ઘણી વખત સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, દુનિયાભરમાં કોરાના માટે જે રસી શોધવામાં આવી તેમાં સૌથી સુરક્ષિત વેક્સિન આપણા દેશ ભારતની છે.દુનિયાના 79 દેશોમાં આપણી વેક્સિન મોકલવામાં આવી છે, પરંતુ ક્યાંયથી પણ એવા સમાચાર સામે નથી આવ્યા કે ભારતની વેક્સિનને કારણે હાર્ટએટેક આવી રહ્યા હોય.

આરોગ્ય મંત્રીએ આગળ કહ્યુ કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેસ્ટીસાઇડનો ઉપયોગ વધી રહ્યો છે, લોકોની રહેણીકરણીમાં મોટો બદલાવ આવ્યો છે, લોકો જંકફુડ ખાય રહ્યા છે. કોઇ પણ વ્યકિત વધારે કસરત કરે તો પણ શરીર પર ભાર આવે છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યુ કે, એક વ્યક્તિની કેપેસિટી 10 કિલો વજનની છે અને તે 20 કિલો વજન ઉપાડે તો ગરદન કમર, હાથ પર ઇજા થઇ શકે. હાર્ટનું પણ આવું જ છે. વધારે પડતી કસરત કરવામાં આવે પછી માનસિક ભારણ વધી જાય છે. તેમણે કહ્યું કે દરેક વ્યકિતની હાર્ટની સમસ્યા જુદી જુદી હોય છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકના કેસોના મામલે 4 નવેમ્બર, શનિવારે અમદાવાદમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટર્સની પેનલ તમામ આંકડાઓનું વિશ્લેષણ કરશે. ખરેખર એટેકના કારણો કયા છે? કોરોના પહેલાં કેટલાં કેસો આવતા હતા? કોરાના પછી કેટલાં કેસ આવ્યા? આ બધી બાબતોનું હદયરોગ નિષ્ણાતો વિશ્લેષણ કરવાના છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.